કેન્સાસમાં થયેલી ગોળીબારની ઘટનાને ટ્રંપે વખોડી
કેન્સાસમાં જાતિવાદથી પ્રેરાયેલા હુમલામાં એક ભારતીય અન્જિનિયરનું મૃત્યુ થયું હતું. ડોનાલ્ડ ટ્રંપે આખરે આ મામલે ચુપ્પી તોડતાં ઘટનાને વખોડી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કેન્સાસ ના ગોળીબારમાં ભારતીય એન્જિનિયરની હત્યાના મામલે પહેલીવાર નિવેદન કર્યું છે. અમેરિકન કોંગ્રેસને સંબોધિત કરતાં તેમણે આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો તથા આ ઘટનામાં મૃત્યુ પામેલા શ્રીનિવાસ માટે બે મિનિટનું મૌન પાળી તેને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.
ઉલ્લેખનીય છે કે, 22 ફેબ્રુઆરીના રોજા કેન્સાસના એક બારમાં થયેલી ભારતીય એન્જિનિયરની હત્યા બાદ ડોનાલ્ડ ટ્રંપ આ અંગે કંઇ ન બોલતા તેમની ખૂબ આલોચના થઇ રહી હતી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રંપના હરીફ હિલેરી ક્લિંટને પણ આ મુદ્દે ટ્રંપ પાસે જવાબ માંગ્યો હતો.
વ્હાઇટ હાઉસે પણ કેન્સાસ શહેરમાં થયેલી આ ઘટનાની નિંદા કરતાં તેને જાતિવાદથી પ્રરિત હુમલો કીધો હતો. વ્હાઇટ હાઉસના ઉપ પ્રેસ સચિવ સારા સેન્ડર્સે કહ્યું હતું કે, જે તથ્યો સામે આવ્યા છે, એના પરથી તો એમ જ લાગે છે કે કેન્સાસમાં ગત અઠવાડિયે જે ઘટના બની એ જાતિવાદથી પ્રેરિત ઘૃણાસ્પદ ઘટના હતી. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ આવી જાતિવાદથી પ્રેરિત હુમલાઓની કડક શબ્દોમાં ટીકા કરે છે. આ દેશમાં આવી ઘટનાઓને કોઇ સ્થાન નથી.
કેન્સાસમાં ગોળીબારની ઘટનાના 6 દિવસ બાદ આ અંગે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની પ્રતિક્રિયા સામે આવી હતી.