Manipur Violence: અમેરિકાએ આપ્યુ મણીપુરમાં ભારતની મદદની ઓફર, કહ્યુ હાલાતથી ચિંતિત
મે મહિનાથી મણીપુરમાં હિંસા ચાલી રહી છે. ત્યાં કેન્દ્રીય સરકારે સેના અને અર્ધસૈનિક બળોને પણ ઉતારવામાં આવ્યા છે. પરંતુ હાલાત તેવા જ છે. આ વચ્ચે અમેરિકાએ પણ મણીપુરના હાલાત ચિંતા વ્યક્ત કરી છે. સાથે જ ભારતને તમામ શક્ય મદદ કરવાનું આશ્વસન આપ્યુ છે.

અમેરિકન રાજદૂત કોલકાતાના પ્રવાસે છે. જ્યાં તેમના દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમા તેમણે કહ્યુ કે, મને પહેલા મણીપુર અંગે બોલવા દો. અમે અંહિયા શાંતિની પ્રાર્થના કરીએ છીએ. અમેરિકા તેને લઇને ચિંતિત છે. આ કોઇ રણનીતિક ચિંતા નથી. પંરંતુ માનવીય ચિંતા છે.
તેમણે કહ્યુ કે, જ્યાર મણીપુરમાં બાળકો મરે છે. તો તેના માટે તમારે ભારતીય હોવુ જરૂરી નથી. આ ઘટના દરેક દેશના નાગરીકને વિચલિત કરે છે. પૂર્વોત્તરમાં કોઇ અન્ય ઘણી સારી વસ્તુઓ પણ થઇ રહી છે. અને તે શાંતિ વગર ચાલુ ના રહી શકે.
ગોર્સેટીએ કહ્યુ કે, પુરી રીતે ભારતનો મામલો છે. પરંતુ અમને પુછવામાં આશે તો અમે તમામ પ્રકારની મદદ કરવા તૈયાર છીએ.












Click it and Unblock the Notifications
