For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમે સર્જીકલ સ્ટ્રાઇક કરી તો તમારી 7 પેઢીઓ યાદ રાખશે: પાક આર્મી ચીફ

લશ્કર-એ-તોયબાના પ્રમુખ હાફિઝ સઇદ બાદ હવે પાકિસ્તાન સેનાના પ્રમુખ જનરલ રાહિલ શરીફે ભારતને ધમકી આપી છે. તેમણે કહ્યુ કે જો પાકિસ્તાને સર્જીકલ સ્ટ્રાઇક કરી તો ભારતની 7 પેઢીઓ પણ ભૂલી નહિ શકે...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનના અર્મી ચીફ રાહિલ શરીફ 29 નવેમ્બરે રિટાયર થવાના છે અને પોતાના રિટાયરમેંટ પહેલા જનરલ શરીફે ભારતને ધમકાવ્યુ છે. જનરલ શરીફે કહ્યુ છે કે જો પાકિસ્તાને સર્જીકલ સ્ટ્રાઇક લોંચ કરી તો ભારતની આવનારી 7 પેઢીઓ પણ તેને ભૂલાવી નહિ શકે.

raheel

પાક સેના જવાબ આપવા માટે તૈયાર

જનરલ રાહિલ શરીફે ભારતને ચેતવણી આપી છે કે તેમની સેના ભારતને તગડો જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. જો કોઇ પણ રીતે પાક સેનાને ભડકાવવામાં આવી તો તેનો આકરો જવાબ મળશે. રાહિલ શરીફે કહ્યુ કે પાકિસ્તાન, ભારતને એવો પાઠ ભણાવશે કે તેની આવનારી પેઢીઓ પણ ભૂલાવી નહિ શકે.

જનરલ રાહિલ શરીફના શબ્દોમાં, 'ભારત પોતાના બાળકોને સ્કૂલના પાઠ્યક્રમમાં ભણાવશે કે જો પાકિસ્તાને સર્જીકલ સ્ટ્રાઇક કરી તો તેનો મતલબ શું થાય છે.'

raheel

ભારતીય આર્મીને પાઠ ભણાવશે

જનરલ શરીફે એ વાતનો પણ ઇનકાર કર્યો કે ભારતીય આર્મીએ પાકિસ્તાનમાં કોઇ સર્જીકલ સ્ટ્રાઇકને અંજામ આપ્યો છે. તેમણે કહ્યુ કે પાક સેના, ભારતીય સેનાને પાઠ ભણાવવા માટે બધી રીતે સક્ષમ છે.

shahid

ક્રિકેટર શાહીદ આફ્રીદીના નામ પર ક્રિકેટ સ્ટેડિયમ

જનરલ શરીફે આ વાત ખૈબરના ગ્રામીણ વિસ્તારમાં ક્રિકેટર શાહીદ આફ્રીદીના નામે બનાવવામાં આવેલ એક ક્રિકેટ સ્ટેડિયમના ઉદઘાટન સમયે કહી. તેમણે એ વાતની પણ પુષ્ટિ કરી કે તેઓ 29 નવેમ્બરે જ રિટાયર થઇ રહ્યા છે.

nawaz

નવાઝ શરીફના પણ સૂર એક જેવા

જનરલ શરીફ્ની પહેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફ પણ કેબિનેટ મીટિંગમાં આ જ વાત કરી ચૂક્યા છે. તેમણે કહ્યુ હતુ કે પાકિસ્તાન પોતાના નાગરિકો પર થઇ રહેલા હુમલા બિલકુલ સહન નહિ કરે. તેમણે કહ્યુ કે પાકિસ્તાન હંમેશા ભારત તરફથી એલઓસી પર ચાલી રહેલ યુદ્ધવિરામ ઉલ્લંઘન છતાં પોતાને હંમેશા સંયમિત રાખતુ આવ્યુ છે.

પીએમ નવાઝ શરીફે કેબિનેટ મીટિંગમાં કાશ્મીરનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યુ કે વિભાજન બાદ પાક માટે કાશ્મીર એક અધૂરો એજંડા છે અને પાક હંમેશા કાશ્મીરના લોકોને સમર્થન આપતુ રહેશે. તેમણે કાશ્મીરમાં થઇ રહેલા વિરોધ પ્રદર્શનને આઝાદીની લડાઇ કહી.

English summary
Army chief General Raheel Sharif says India's generations will be remembered if Pakistan launches surgical strikes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X