For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનમાં ચર્ચ પર આત્મઘાતી હુમલો, 56ના મોત

|
Google Oneindia Gujarati News

પેશાવર, 22 સપ્ટેમ્બર : પાકિસ્તાનના પેશાવરની પાસે આવેલા પખ્તૂનખ્વા પ્રાંતમાં આવેલા એક ચર્ચમાં આત્મઘાતી હુમલો થયો છે. ચર્ચ પર કરવામાં આવેલા આ હુમલામાં માસૂમ બાળકો સહિત 56 લોકોના મોત થયા છે જ્યારે 120થી પણ વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

પાકિસ્તાનની ટીવી ચેનલ ઝિઓ ટીવીના હવાલાથી જણાવ્યું કે પેશાવરના ગીચ વસ્તીવાળા વિસ્તારમાં આવેલા આ ચર્ચ પર હુમલો કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આત્મઘાતી વિસ્ફોટ ભીડભાડ વાળા વિસ્તારમાં સ્થિત જૂના ચર્ચમાં થયો. આ ચર્ચની આસપાસ ભારે અવરજવર રહે છે. ખાસ કરીને મહિલાઓની સંખ્યા આ વિસ્તાર વધારે હોય છે કારણ કે અહીં મુખ્ય બજાર અને શોપિંગ સેન્ટર આવેલું છે.

blast
આ આત્મઘાતી હુમલામાં આતંકવાદીએ પોતાને એ સમયે ઉડાવી દીધો જ્યારે ભારે માત્રામાં અત્રે લોકો રવિવારે પોતાની પ્રાર્થના પૂરી કરીને ચર્ચમાંથી બહાર નીકળી રહ્યા હતા. ચર્ચના મેન ગેટની પાસે સુસાઇડ બોમ્બરે પોતાને બ્લાસ્ટ કરીને ઉડાવી દીધો. આ વિસ્ફોટની જપેટમાં 56 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા.

એસએસપી નઝીબુલ્લાહે જણાવ્યું કે વિસ્ફોટ એક આત્મઘાતી હુમલાખોર દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં દસ લોકો માર્યા ગયા. પરંતુ સ્વતંત્ર સૂત્રોએ જણાવ્યું કે વિસ્ફોટમાં ઓછામાં ઓછા 56 લોકોના મોત થયા છે.

English summary
A bomb blast outside a church killed around 25 people and wounded 30 others in the restive northwestern Pakistani city of Peshawar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X