પાકિસ્તાનમાં ચર્ચ પર આત્મઘાતી હુમલો, 56ના મોત
પેશાવર, 22 સપ્ટેમ્બર : પાકિસ્તાનના પેશાવરની પાસે આવેલા પખ્તૂનખ્વા પ્રાંતમાં આવેલા એક ચર્ચમાં આત્મઘાતી હુમલો થયો છે. ચર્ચ પર કરવામાં આવેલા આ હુમલામાં માસૂમ બાળકો સહિત 56 લોકોના મોત થયા છે જ્યારે 120થી પણ વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
પાકિસ્તાનની ટીવી ચેનલ ઝિઓ ટીવીના હવાલાથી જણાવ્યું કે પેશાવરના ગીચ વસ્તીવાળા વિસ્તારમાં આવેલા આ ચર્ચ પર હુમલો કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આત્મઘાતી વિસ્ફોટ ભીડભાડ વાળા વિસ્તારમાં સ્થિત જૂના ચર્ચમાં થયો. આ ચર્ચની આસપાસ ભારે અવરજવર રહે છે. ખાસ કરીને મહિલાઓની સંખ્યા આ વિસ્તાર વધારે હોય છે કારણ કે અહીં મુખ્ય બજાર અને શોપિંગ સેન્ટર આવેલું છે.
એસએસપી નઝીબુલ્લાહે જણાવ્યું કે વિસ્ફોટ એક આત્મઘાતી હુમલાખોર દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં દસ લોકો માર્યા ગયા. પરંતુ સ્વતંત્ર સૂત્રોએ જણાવ્યું કે વિસ્ફોટમાં ઓછામાં ઓછા 56 લોકોના મોત થયા છે.