ભારતમાં થઇ શકે છે મોટો આતંકી હુમલો, ઓસ્ટ્રેલિયાએ આપી ચેતાવણી
મેલબોર્ન, 7 જાન્યુઆરી: ભારત હંમેશાથી આતંકવાદીઓના નિશાના પર રહ્યું છે. પાકિસ્તાન તરફથી આતંકીઓ હંમેશા ભારતમાં ઘુસણખોરીની કોશિશ કરતા રહે છે, પરંતુ ભારતની અચૂક સુરક્ષા વ્યવસ્થાના કારણે આતંકવાદીઓ પોતાના ઇરાદાઓમાં સફળ ના થઇ શક્યા, પરંતુ ઓસ્ટ્રેલિયાઇ સરકારે ભારતમાં મોટા આતંકવાદી હુમલાઓની ચેતાવણી આપી છે.
ઓસ્ટ્રેલિયાઇ સરકારે ભારતમાં રહી રહેલા પોતાના નાગરિકોને ચેતાવણી આપી છે કે આતંકવાદી ભારતમાં હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાઇ સરકારે પોતાના નાગરિકોને ભારત પ્રવાસ દરમિયાન સંપૂર્ણ સાવચેતી રાખવાનો પણ આગ્રહ કર્યો છે.

ઓસ્ટ્રેલિયાઇ સરકારે પોતાના નાગરિકોને ચેતાવણી આપી છે કે તેઓ ભારતમાં વધારે સાવચેત રહે. ઓસ્ટ્રેલિયાઇ સરકારે પોતાના મહિલા પ્રવાસીઓને ભારતના તમામ વિસ્તારોમાં વિશેષ સાવધાન રહેવાની હાકલ કરી છે.












Click it and Unblock the Notifications
