'1971ના માનવસંહાર માટે માફી માગે પાકિસ્તાન'

પાકિસ્તાનની વિદેશમંત્રી હિના રબ્બાની ખાર સાથેની મુલાકાતમાં બાંગ્લાદેશી વિદેશમંત્રી દીપૂ મોનીએ જણાવ્યું હતું કે 'બાંગ્લાદેશ આશા રાખે છે કે 1971 દરમિયાન પાકિસ્તાની સૈનિકોએ કરેલા નરસંહાર માટે માફી માગશે.'
બાંગ્લાદેશી વિદેશ સચિવ મિઝારુલ કયાસે જણાવ્યું કે આ ઉપરાંત દીપૂ મોનીએ ઘણા અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. પાકિસ્તાની વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે 1974 દરમિયાન તેમના દેશે ગણી વખત આ નરસંહારને લઇને અફસોસ વ્યક્ત કર્યો હતો. હવે ભૂતકાળને ભૂલાવી ભવિષ્યને સુધારી લેવું જોઇએ.












Click it and Unblock the Notifications
