એસ્ટ્રાજેનેકાની વેક્સીન કૉકટેલે ઓમિક્રૉન વેરિઅંટને કર્યો નિષ્ક્રિય, ભારત માટે બહુ મોટા ખુશખબર
ભારતમાં વેક્સીન બનાવનાર કંપની એસ્ટ્રાજેનેકાની કૉકટેલ વેક્સીને ઓમિક્રૉનને નિષ્ક્રિય કરી દીધો છે.
નવી દિલ્લીઃ કોરોના વાયરસના ઓમિક્રૉન વેરિઅંટ સામે દુનિયાની લગભગ બધી વેક્સીન્સ ઓછી અસરકારક સાબિત થઈ રહી છે. એવામાં પહેલી વાર વેક્સીન્સને લઈને ખુશખબરી મળી છે. પ્રયોગશાળામાં રિસર્ચ દરમિયાન જાણવા મળ્યુ છે કે ભારતમાં વેક્સીન બનાવનાર કંપની એસ્ટ્રાજેનેકાની કૉકટેલ વેક્સીને ઓમિક્રૉનને નિષ્ક્રિય કરી દીધો છે.

કૉકટેલ વેક્સીનથી નિષ્ક્રિય ઓમિક્રૉન
એસ્ટ્રાજેનેકાએ ગુરુવારે રિસર્ચ દરમિયાન જોયુ છે કે કોવિડ-19 એંટીબૉડી કૉકટેલ, ઈવુશેલ્ડ સામે કોરોના વાયરસનો ઓમિક્રૉન વેરિઅંટ નિષ્ક્રિય થઈ ગયો છે. જે ખૂબ મોટા ખુશખબર છે. પ્રયોગશાળામાં રિસર્ચ દરમિયાન જોવા મળ્યુ છે કે એસ્ટ્રાજેનેકાની કૉકટેલ વેક્સીને ઓમિક્રૉન કોરોના વાયરસની ગતિવિધિને નિષ્ક્રિય કરી દીધી છે. ત્યારબાદ આખી દુનિયા માટે બહુ મોટી રાહતની વાત છે અને મેડિકલ ફીલ્ડ અને ડૉક્ટરો માટે બહુ મોટી આશા છે. રિપોર્ટ મુજબ આ રિસર્ચ અમેરિકી ખાદ્ય તેમજ ઔષધિ પ્રશાસનના સ્વતંત્ર તપાસકર્તાઓએ કર્યુ હતુ અને તપાસ બાદ કંપની તરફથી નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યુ છે કે ઓમિક્રૉન સામે એવુશેલ્ડના વધુ વિશ્લેષણ એસ્ટ્રાજેનેકા અને ત્રીજા પક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા છે, ડેટા 'બહુ જલ્દી' લોકો સાથે શેર કરવામાં આવશે.

ડેલ્ટાથી 70 ગણો ઝડપથી ફેલાવાની ગતિ
તમને જણાવી દઈએ કે દુનિયામાં કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. આ વેરિઅંટ પર હોંગકોંગ યુનિવર્સિટીનો એક નવો અભ્યાસ આવ્યો છે. આ નવા અભ્યાસનો નિષ્કર્ષ ઓમિક્રૉનને લઈને ચિંતા વધારનાર છે. સ્ટડી અનુસાર ઓમિક્રૉન વેરિઅંટ ડેલ્ટા અને મૂળ કોરોના સ્ટ્રેનની સરખામણીમાં લગભગ 70 ગણો ઝડપથી સંક્રમિત કરે છે. જો કે, બિમારીની ગંભીરતા ઘણી ઓછી છે. આ નવા સ્ટડીમાં જણાવવામાં આવ્યુ છે કે ઓમિક્રૉન વેરિઅંટ કઈ રીતે માનવના શ્વસન તંત્રને સંક્રમિત કરે છે. હોંગકોંગ વિશ્વવિદ્યાલયના અનુસંધાનકર્તાઓેએ જોયુ કે ઓમિક્રૉન, ડેલ્ટા અને મૂળ સાર્સ-કોવી-2ની સરખામણીમાં 70 ગણો ઝડપથી સંક્રમિત કરે છે. અધ્યયન સાથે એ પણ પ્રદર્શિત થાય છે કે ફેફસામાં ઓમિક્રૉનથઈ સંક્રમણ મૂળ સાર્સ-કોવી-2ની સરખામણીમાં ઘણુ ઓછુ છે જેનાથી રોગની ગંભીરતા ઓછી હોવાના સંકેત મળે છે.

ઓમિક્રૉન વેરિઅંટના બે સપ્તાહ
9 ડિસેમ્બર સુધી આવેલા રિપોર્ટ મુજબ કોરોના વાયરસના ઓમિક્રૉન વેરિઅંટ અત્યાર સુધી દુનિયાના 63 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. ડબ્લ્યુએચઓએ કહ્યુ છે કે ઓમિક્રૉન વેરિઅંટ બધા 6 રીજનમાં પોતાની ઉપસ્થિતિત નોંધાવી ચૂક્યો છે. યુનાઈટેડ નેશન્સના આરોગ્ય વિભાગ ડલ્બ્યુએચઓએ કહ્યુ છે કે અત્યાર સુધી ઓમિક્રૉન વેરઅંટને લઈને જે શરુઆતની માહિતી મળી છે તેનાથી જાણવા મળી રહ્યુ છે કે કોરોના વાયરસનો આ વેરિઅંટ વેક્સીનની ક્ષમતાને ઘટાડી રહ્યુ છે પરંતુ વૈજ્ઞાનિકોએ કહ્યુ છે કે અત્યાર સુધી જાણવા મળ્યુ છે કે કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅંટની સરખામણીમાં ઓમિક્રૉન વેરિઅંટ ઓછો ખતરનાક છે. ડબ્લ્યુએચઓએ 26 નવેમ્બરે બી.1.2.529 વેરિઅંટને ચિંતાજનક ગણાવી દીધો હતો.

શું ઓમિક્રૉન જાનલેવા છે?
ડૉક્ટરોએ ઓમિક્રૉન સંક્રમિત રોગીઓમાં થાક અને માથાના દુઃખાવાને નોટ કર્યો છે. જ્યારે ડેલ્ટા વેરિઅંટ સાથે સંક્રમિત રોગીઓમાં ઘણા બીજા જાનલેવા લક્ષણ દેખાઈ રહ્યા હતા. ડેલ્ટાના દર્દીઓના શરીરના પલ્સ રેટ ઝડપથી ઘટે છે, શરીરમાં ઑક્સિજનની માત્રા ઝડપથી ઘટવા લાગે છે અને દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. જેના કારણે દર્દીનો જીવ જવાનુ જોખમ વધી જાય છે જ્યારે ઓમિક્રૉનના દર્દીઓમાં અત્યાર સુધી આવા લક્ષણ જોવા મળ્યા નથી. દક્ષિણ આફ્રિકાના ત્રણ મોટી ખાનગી હૉસ્પિટલના સંચાલકોનુ કહેવુ છે કે ઓમિક્રૉન સંક્રમિત દર્દી પહેલાની તુલનામાં ઓછા પરેશાન છે. ઑક્સિજન કે વેટિંલેટર પર બહુ ઓછા લોકો છે અને મોતમાં સામાન્ય વધારો થયો છે.

ઓમિક્રૉન પર વેક્સીન કેટલી અસરકારક?
રિસર્ચ દરમિયાન વૈજ્ઞાનિકોને જાણવા મળ્યુ કે ઓમિક્રૉન વેરિઅંટ વેક્સીનની ક્ષમતાને સંપૂર્ણપણે નહિ પરંતુ ઘણી હદ સુધી સીમિત કરી દે છે પરંતુ રસીકરણ બાદ શરીરમાં જેટલી માત્રામાં એંટીબૉડી રહે છે તે ઓમિક્રૉન વેરિઅંટના વાયરસને ખતમ કરવામાં સક્ષમ રહે છે. ફાઈઝર વેક્સીને ઓમિક્રૉન વેરિઅંટને લઈને પોતાની રસીનો ટેસ્ટ કર્યો છે જેમાં આ વાત જાણવા મળી છે. ડબ્લ્યુએચઓએ એ પણ કહ્યુ છે કે, પ્રારંભિક પુરાવા અને ઓમિક્રૉન વેરિઅંટમાં હાજર સ્પાઈખ પ્રોટીન ઘણુ બદલાયુ છે માટે આ વેક્સીનના પ્રભાવને ઘટાડી દે છે.












Click it and Unblock the Notifications
