લંડન હાઈકોર્ટે તિહાર જેલને ગણાવી સુરક્ષિત, શું માલ્યાનું થશે પ્રત્યાર્પણ?
બ્રિટનની એક અદાલતે ઐતિહાસિક ચુકાદો સંભળાવતા કહ્યુ કે ભારતની તિહાર જેલ સુરક્ષિત છે. ત્યાં ભારતીય ભાગેડુને પ્રત્યાર્પિત કરવામાં આવી શકે છે.
બ્રિટનની એક અદાલતે ઐતિહાસિક ચુકાદો સંભળાવતા કહ્યુ કે ભારતની તિહાર જેલ સુરક્ષિત છે. ત્યાં ભારતીય ભાગેડુને પ્રત્યાર્પિત કરવામાં આવી શકે છે. કોર્ટે આ આદેશ ક્રિકેટ મેચ ફિક્સિંગના આરોપી સંજીવ ચાવલા સાથે સંબંધિત મામલે આપ્યો છે. બ્રિટનની કોર્ટના આ ચુકાદો વિજય માલ્યાના ભારત પ્રત્યાર્પણ માટે મહત્વનો માનવામાં આવી રહ્યો છે. યુકે કોર્ટે ચુકાદો સંભળાવતા કહ્યુ કે તિહાર જેલ પરિસરમાં સંજીવ ચાવલાને કોઈ જોખમ નથી. ભારત સરકાર તરફથી અપાયેલ ત્રીજા આશ્વાસન બાદ કોર્ટે આ આદેશ સંભળાવ્યો છે.

લંડન હાઈકોર્ટે સંભળાવ્યો ઐતિહાસિક ચુકાદો
લંડન હાઈકોર્ટના લૉર્ડ જસ્ટીસ લેગાટ અને જસ્ટીન ડિંજમેન્સે શુક્રવારે આપેલા પોતાના ચુકાદામાં કહ્યુ કે તિહાર જેલ કોમ્પ્લેક્સમા ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક સંજીવ ચાવલા માટે કોઈ જોખમ નથી. સંજીવ ચાવલા પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોની ફિક્સિંગનો આરોપ છે ભારત તરફથી અપાયેલા ત્રીજા આશ્વાસન બાદ અને ઈલાજનો ભરોસો અપાયા બાદ કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો.

મેચ ફિક્સિંગના આરોપી સંજીવ ચાવલા સંબંધિત મામલે ચુકાદો
લંડન હાઈકોર્ટના મહત્વના ચુકાદા બાદ હવે નવા ચુકાદા માટે કેસ વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટને ટ્રાન્સફર થશે. બ્રિટનના સેક્રેટરી ઓફ સ્ટેટ સંજીવ ચાવલાના પ્રત્યાર્પણ મામલે અંતિમ નિર્ણય લેશે. જો કે હજુ પણ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવી શકે છે. ત્યારબાદ ચુકાદાને લંડનની સુપ્રીમ કોર્ટમાં પણ પડકારવામાં આવી શકે છે. વાસ્તવમાં સંજીવ ચાવલા કેસ હન્સી ક્રોનિએમા મેચ ફિક્સિંગ સાથે જોડાયેલો મામલો છે. આમાં ભારતીય ક્રિકેટરો અજય જાડેજા અને મોહમ્મદ અઝરુદ્દીન પર પણ આરોપ લાગ્યા હતા.

શું વિજય માલ્યા કેસ પર પણ થશે અસર?
હાલમાં ભારત માટે લંડન હાઈકોર્ટનો આ ચુકાદો એટલા માટે મહત્વનો છે કારણકે આની અસર ક્યાંકને ક્યાંક વિજય માલ્યા કેસ પર પણ થશે. આવુ એટલા માટે કારણકે વિજય માલ્યાએ પ્રત્યાર્પણ મામલે ભારતની જેલોને અસુરક્ષિત ગણાવી છે. જો કે હવે જે રીતે કોર્ટે તિહાર જેલને સુરક્ષિત ગણાવી છે ત્યારબાદ બ્રિટનની અદાલત માલ્યાના પ્રત્યાર્પણ મામલે પણ મોટો ચુકાદો આપી શકે છે. તમને જણાવી દઈએ કે માલ્યાના પ્રત્યાર્પણ કેસમાં 10 ડિસેમ્બરે ચુકાદો આવી શકે છે.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી










Click it and Unblock the Notifications
