Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જુમાની નમાજ દરમિયાન મસ્જિદમાં બ્લાસ્ટ, ઈમામ સહિત 15 લોકોના મોત, જુઓ ભયાનક વીડિયો

અફઘાનિસ્તાનના હેરાતમાં ગુજરગાહ મસ્જિદમાં શુક્રવારની નમાજ દરમિયાન વિસ્ફોટ થયો હતો. ટોલો ન્યૂઝના અહેવાલ અનુસાર, મસ્જિદના ઈમામ મુજીબ ઈમામ રહેમાન અન્સારીનું વિસ્ફોટમાં મોત થયું છે.

અફઘાનિસ્તાનના હેરાતમાં ગુજરગાહ મસ્જિદમાં શુક્રવારની નમાજ દરમિયાન વિસ્ફોટ થયો હતો. ટોલો ન્યૂઝના અહેવાલ અનુસાર, મસ્જિદના ઈમામ મુજીબ ઈમામ રહેમાન અન્સારીનું વિસ્ફોટમાં મોત થયું છે. વિસ્ફોટમાં ઈમામ સહિત 15 લોકોએ જીવ ગુમાવ્યા છે.

શુક્રવારની નમાજ દરમિયાન બ્લાસ્ટ થયો

શુક્રવારની નમાજ દરમિયાન બ્લાસ્ટ થયો

હેરાતના ગવર્નરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વિસ્ફોટ આત્મઘાતી હુમલાને કારણે થયો હતો. કહેવાય છે કે, મસ્જિદની અંદર શુક્રવારની નમાજ દરમિયાન બ્લાસ્ટ થયો હતો.

હેરાત પોલીસના પ્રવક્તા મહમૂદ રસોલીએ જણાવ્યું હતું કે, મુજીબ રહેમાન અન્સારી, તેમના કેટલાક ગાર્ડ અને નાગરિકો સાથે મસ્જિદ જતા સમયે માર્યા ગયા હતા.

ઈમામ તાલિબાનના સમર્થક

ઈમામ તાલિબાનના સમર્થક

મસ્જિદના ઈમામ તાલિબાનના સમર્થક હોવાનું કહેવાય છે. જૂનના અંતમાં જૂથ દ્વારા આયોજિત હજારો વિદ્વાનો અને વડીલોની વિશાળસભામાં મુજીબ રહેમાન અન્સારીએ તાલિબાનના બચાવમાં જોરદાર વાત કરી હતી.

સંયુક્ત રાષ્ટ્રએ વધી રહેલા હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરી

તાલિબાનનું કહેવું છે કે, લગભગ એક વર્ષ પહેલા સત્તા સંભાળ્યા બાદ તેઓએ દેશમાં સુરક્ષામાં સુધારો કર્યો છે, પરંતુ તાજેતરના મહિનાઓમાં મસ્જિદોને નિશાન બનાવતા અનેક વિસ્ફોટો થયા છે. સંયુક્ત રાષ્ટ્રએ અફઘાનિસ્તાનમાં વધી રહેલા હુમલાઓ અંગે ચિંતા વ્યક્તકરી છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ અફઘાનિસ્તાનમાં આવા ઘણા બ્લાસ્ટ થઈ ચૂક્યા છે. આ વખતે જે વિસ્ફોટ થયો છે, તેનીતીવ્રતા ખૂબ જ ઝડપી કહેવામાં આવી રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X