ઇશનિંદાના આરોપમાં બાળકની સરાજાહેર હત્યા
વિદ્રોહીઓ અને સરકારી બળો વચ્ચે જારી સંઘર્ષના કારણે શાળાઓ બંધ છે તેથી 14 વર્ષિય મોહમ્મદ કતા પોતાના પરિવાર સાથે કોફી વેચવાનું કામ કરતો હતો. ગત મહિને એક વ્યક્તિએ તેની પાસે મફતમાં કોફી માંગી. જેના જવાબમાં કતાએ હસતાં-હસતાં જવાબ આપ્યો કે, જો પેગમ્બર જાતે પણ આવી જાય તો તેમને મફતમાં નહીં આપું. તેની આ વાતને ત્યાંથી પસાર થઇ રહેલા ત્રણ હથિયારબંદ લોકોએ સાંભળી લીધી. તેને ખેંચીને કારમાં નાંખીને લઇ ગયા.
અડધા કલાક બાદ તેઓ ઇજાગ્રસ્ત કતાને લઇને પરત ફર્યા અને રસ્તા પર રહેડી પાસે તેને ફેંકી દીધો અને જોરથી બુમો પાડી, ઓ શારના લોકો, ઓ અલેપ્પોના લોકો, જે કોઇપણ પેગમ્બરનું અપમાન કરશે શરિયા અનુસાર તેને મારી નાંખવામાં આવશે. કતાની મા આ અવાજ સાંભળીને દોડ્યા પરંતુ તેમને ગોળી ચલાવવામાં આવી હોવાનો અવાજ સંભળાયો. તેમણે કહ્યું કે, તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે તેમના પુત્રને પહેલા એક ગોળી અને પછી ફરીથી બીજી હોળી મારી.
તેના ચહેરા પર ગોળી મારવામાં આવી હતી. જ્યાં નાક અને મોઢું હોવું જોઇએ ત્યાં કાણું દેખાઇ રહ્યું હતું. તેનો ઘણો વિરોધ થયો. કહેવામાં આવી રહ્યું છે કે, અલ કાયદા સાથે જોડાયેલા એક મુખ્ય સમૂહના આ હત્યારાઓ હતા. શંકાની સોય ઇસ્લામી સંગઠન નુસરા ફ્રન્ટ તરફ પણ છે, પરંતુ અલેપ્પોના તમામ વિદ્રોહી સમૂહો અને શહેરની મુખ્ય શરિયા અદાલતની જેમ આ બન્નેએ પણ આ હત્યાની નિંદા કરી છે.