ઇમરાન ખાને ફરી કરી બકવાસ, કાશ્મીરીઓના હક માટે કોઇ પણ હદ સુધી જશે પાકિસ્તાન
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવ્યા બાદ પાકિસ્તાન બખલાયું છે. અવાર નવાર પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન ભારતને ધમકી આપી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવ્યા બાદ પાકિસ્તાન બખલાયું છે. અવાર નવાર પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન ભારતને ધમકી આપી રહ્યા છે, જોકે તેમને દરેક વખતે વળતો જવાબ મળે છે. પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનો ભંગ અને કાશ્મીર અંગેની નિવેદનબાજી ચાલુ છે, આટલું જ નહીં, રવિવારે દિવાળી પર પાકિસ્તાનમાં કાશ્મીરીઓના સમર્થનમાં 'બ્લેક ડે' ઉજવવામાં આવ્યો છે.
ઇમરાન ખાને કાશ્મીરને લઇને ફરી ઓક્યુ ઝેર
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ફરી એકવાર કાશ્મીર વિશે નિવેદન આપ્યું છે, પાકિસ્તાન સરકાર દ્વારા સંચાલિત પાકિસ્તાન ટેલિવિઝન ચેનલ પર પ્રસારિત થયેલા એક વીડિયો સંદેશમાં, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે કેટલાક તત્વો કાશ્મીરમાં જેહાદ અને સશસ્ત્ર સંઘર્ષને ભડકાવી રહ્યા છે, જે કાશ્મીરીઓની લડતમાં નુકસાન કરશે અને તે ઇસ્લામાબાદના હીતની વિરૂદ્ધ છે.
કાશ્મીરીઓના હક માટે કોઇ પણ હદે જશે પાકિસ્તાન
ઇમરાન ખાને દાવો કર્યો હતો કે ભારત કાશ્મીરમાં 'અત્યાચાર' ને ન્યાયી ઠેરવવા અને વિશ્વના આતંકવાદ તરફ ધ્યાન દોરવાના ચક્કરમાં છે, પરંતુ કાશ્મીરી મુદ્દાને ટેકો આપવા પાકિસ્તાન શાંતિથી, રાજદ્વારી અને રાજકીય રીતે બેસશે નહીં કોઈપણ સ્તરે જશે, આજે હું ખાતરી આપવા માંગુ છું કે આખો દેશ તમારી (કાશ્મીરીઓ) ની સાથે ઉભો છે અને પાકિસ્તાન તમને મદદ કરવા કોઈપણ હદ સુધી જશે.
દિવાળી પર પાકિસ્તાને 'બ્લેક ડે' ઉજવ્યો
આટલું જ નહીં, તેમણે આ વીડિયો મેસેજ પછી એક ટ્વીટ પણ કર્યું, જેમાં તેમણે કહ્યું હતું કે ભારતે કાશ્મીરમાંથી કરફ્યુ હટાવવો જોઈએ. તમને જણાવી દઈએ કે ગઈકાલે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કશ્મીર (POK)માં ઘણી પાર્ટીઓએ રેલીઓ અને સેમિનારો યોજ્યા હતા. કહેવાતા બ્લેક ડેનો મુખ્ય કાર્યક્રમ મુઝફ્ફરાબાદમાં યોજાયો હતો.
બોખલાઇ ગયુ છે પાકિસ્તાન
ઉલ્લેખનિય છેકે 5 ઓગસ્ટે ભારતે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી આર્ટિકલ 370 ની મોટાભાગની જોગવાઈઓ રદ કરીને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવાનો નિર્ણય કર્યો હતો, ત્યારથી પાકિસ્તાન ખૂબ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. અને તેઓ ભારત વિરૂદ્ધ સતત નિવેદનો આપી રહ્યું છે.
75 days & Occupation government of Modi continues the siege in IOJK. Modi is riding a tiger - he thought he could get his agenda of annexation by using 900k forces to silence Kashmiris. You don't need 900k troops to fight terrorism; you need them to terrorise 8m Kashmiri people.
— Imran Khan (@ImranKhanPTI) October 18, 2019