સિરીયામાં રાસાયણિક હુમલામાં 1300નાં મોત
દમાસ્કસ, 22 ઓગસ્ટ : મધ્ય પૂર્વમાં આવેલા સિરિયામાં ગઇ કાલે બળવાખોર જૂથ દ્વારા કરવામાં આવેલા કહેવાતા રાસાયણિક હુમલાએ અત્યાર સુધીમાં 1300થી વધારે લોકોના જીવ લીધા હોવાના અહેવાલો મળી રહ્યા છે.
સિરીયામાં વિરોધ પક્ષના સમર્થનવાળા બે જૂથે દાવો કર્યો છે કે પ્રમુખ બશર અલ અસાદના સરકારી દળોએ 21 ઓગસ્ટે વહેલી સવારે પાટનગર દમાસ્કસ નજીકના એક સ્થળે ઝેરી ગેસવાળા રોકેટો વડે હુમલો કર્યો હતો જેમાં સેંકડો લોકો માર્યા ગયા છે. એક અહેવાલ મુજબ મૃતકોનો આંકડો 1300ને વટાવી ગયો છે.

વિરોધ પક્ષને ટેકો આપતા જૂથોએ કેટલાક કાર્યકર્તાઓને એમ કહેતા ટાંક્યા છે કે સરકારી દળોએ ઝેરી ગેસ વડે હુમલો કર્યો છે. સિરીયાની સરકારે જોકે આ આરોપોને પાયાવિહોણા ગણાવીને નકારી કાઢ્યા છે. બ્રિટનસ્થિત સિરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સ સંસ્થાનું કહેવું છે કે દમાસ્કસના પૂર્વ ભાગના ઉપનગરો ઝમાલ્કા, અરબીન અને ઈન તારમામાં કરાયેલા હુમલામાં સેંકડો લોકો માર્યા ગયા છે.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
