પીઓકેને રેલ નેટવર્ક થકી જોડીને ભારતને ઘેરવાની તૈયારીમાં છે ચીન
બેઇજિંગ, 29 જૂનઃ ચીનમાં હાલના સમયે પંચશીલ સમજૂતિની 60મી વર્ષગાંઠ ચાલી રહી છે અને હાલના તકે ભારતના ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી ચીનમાં જ છે. તેમ છતાં ચીનની હરકતો ભારત માટે માથાનો દુઃખાવો બનીને સામે આવી રહ્યાં છે. પહેલા ભારતીય સીમામાં ચીની સૈનિકોની ઘુષણઘોરી, પછી વિવાદિત નકશા અને હવે પાકિસ્તાન અધિકૃતિ કાશ્મીરને રેલ લિંક સાથે જોડવાના સમાચાર આવી રહ્યાં છે.

સમાચાર પત્ર ચાઇના ડેલીએ શિનજિઆંગના ક્ષેત્રીય વિકાસ તથા સુધાર આયોગ ઝાંગ ચુનલિનના હવાલાથી આ સમાચાર આપવામાં આવ્યા છે. શિનજિઆંગની રાજધાની યરુમક્વીમાં સિલ્ક રોડ ઇકોનોમિક બેલ્ટ પર આયોજિત આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ઝાંગે કહ્યું કે, 1800 કિ.મી ચીન-પાકિસ્તાન રેલવે લાઇન પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ તથા કરાચીના માર્ગમાંથી પસાર કરવાની યોજના છે.
સ્પષ્ટ રીતે પાકિસ્તાનમાં ચરમપંથીઓના હુમલાનો હવાલો આપતા કહ્યું કે, જોકે, પ્રતિકૂળ માહોલ તથા જટિલ ભૌગોલિક સ્થિતિના કારણે રેલવે લાઇનનાં નિર્માણની લાગત ઉંચી છે, પરંતુ પરિયોજના માટે અધ્યયન પહેલા જ શરૂ કરવામાં આવી ચૂકી છે.












Click it and Unblock the Notifications
