અરુણાચલ પ્રદેશ પર ચીનની નજર, સરહદ નજીક શરૂ કરી બુલેટ ટ્રેન
અરુણાચલ પ્રદેશ પર ચીનની નજર, સરહદ નજીક શરૂ કરી બુલેટ ટ્રેન
રણનીતિ તરીકે બહુ મહત્વપૂર્ણ મનાતા હિમાલયના તિબેટ ક્ષેત્રમાં ચીને પહેલી બુલેટ ટ્રેન ચલાવી ભારતનું ટેન્શન વધારી દીધું છે. તિબેટની રાજધાની લ્હાસાથી અરુણાચલ પ્રદેશની બોર્ડર પર આવેલ શહ ન્યિંગચી વચ્ચે ચીને બુલેટ ટ્રેનની શરૂઆત કરી દીધી છે. જેને પગલે અરુણાચલ પ્રદેશને લઈ ભારતની ચિંતા વધી ગઈ છે. (ફોટો ક્રેડિટ- પીપુલ્સ ડેલી)

તિબેટમાં બુલેટ ટ્રેન
ચીનની સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સ મુજબ સિચુઆન-તિબેટ રેલવે અંતર્ગત આ પરિયોજનાનો વિકાસ કરવામાં આવ્યો છે અને એક જુલાઈએ ચીનની કોમ્યૂનિસ્ટ પાર્ટીની 100મી વર્ષગાંઠ પહેલાં આ બુલેટ ટ્રેન શરૂ કરી દેવામાં આવી છે. આ બુલેટ ટ્રેન લ્હાસાથી ન્યિંગચી સ્ટેશન વચ્ચે 435.5 કિમીની દૂરી ખેડશે. રિપોર્ટ મુજબ તિબેટ સ્વાયત્ત ક્ષેત્રમાં પહેલી ઈલેક્ટ્રિક ટ્રેન શુક્રવારે સવારે શરૂ થઈ છે જે લ્હાસાને ન્યિંગચી સાથે જોડશે અને આ એક ફક્સિંગ બુલેટ ટ્રેન છે, જેનું સત્તાવાર રીતે સંચાલન શરૂ થઈ ગયું છે.

ચીનની રેલવેએ શું કહ્યું
ચીનની નેશનલ રેલવે કોર્પોરેશન એટલે કે સીએનઆરજીએ કહ્યું કે બુલેટ ટ્રેનનું સંચાલન શરૂ થવું અને પરિવહન ખોલવું, તિબેટ અને ચીનના અન્ય પ્રાંતો અને ક્ષેત્રો વચ્ચે સંપર્ક અને આદાન-પ્રદાનને મજબૂત કરવા માટે બહુ મહત્વપૂર્ણ છે અને જાતીય એકતા બનાવી રાખવા, સીમા ક્ષેત્રોમાં સ્થિરતાને મજબૂત કરવાની સાથે જ ગ્રામીણ ક્ષેત્રોના વિકાસને પ્રોત્સાહન આપવા માટે આ મહત્વપરૂણ પગલું ઉઠાવ્યું છે.

ચીનની આ બુલેટ ટ્રેનની ખાસિયત
ગ્લોબલ ટાઈમ્સના રિપોર્ટ મુજબ સિચુઆન-તિબેટ રેલવે માર્ગ સિચુઆન પ્રાંતની રાજધાની ચેંગદૂથી શરૂ થઈ તિબેટમાં દાખલ થશે અને તિબેટથી થતાં આ રેલવેમાર્ગ ચમદો સુધી જશે. આ બુલેટ ટ્રેનના શરૂ થયા બાદ હવે ચેંકદૂથી લ્હાસા સુધીની દૂરી જે પહેલા 48 કલાકમાં નક્કી કરવામાં આવતી હતી તેને માત્ર 13 કલાકમાં પૂરી કરી લેવાશે. જણાવી દઈએ કે ન્યિંગચી, મેડોગ પ્રાંતમાં સ્થિત એક શહેર છે, જે ભારતના અરુણાચલ પ્રદેશ રાજ્યની સીમા નજીક આવેલ છે.

અરુણાચલ પ્રદેશ પર ચીનની નજીક
પહેલાં ચીને ભારતના અભિન્ન ભાગ અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટનો ભાગ ગણાવ્યો હતો, જેને ભારતે ધડમૂડથી ફગાવી દીધો હતો. જણાવી દઈએ કે ભારત-ચીન સીમા વિવાદમાં 3 હજાર 488 કિમી લાંબી લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ સામેલ છે, જેને આપણે સામાન્ય ભાષામાં એલએસી કહીએ છીએ. ચીનના શિંહુઆ યુનિવર્સિટીના નેશનલ સ્ટ્રેટેજી ઈન્સ્ટીટ્યૂટના રિસર્ચ વિભાગના ડાયરેક્ટર કિયાન ફેંકે ગ્લોબલ ટાઈમ્સને કહ્યું કે "ભારત-ચીન સીમા પર જો કોઈ વિવાદ જેવી સ્થિતિ ઉત્પન્ન થાય છે તો આ કોઈ સંકટનું વાતાવરણ બને છે, તો આ રેલવા દ્વારા ચીનને રણનૈતિક સામગ્રી પહોંચાડવામાં ખુબ મદદ મળશે." એવામાં જોવામાં આવે તો રણનૈતિક રીતે અરુણાચલ પ્રદેશની બોર્ડર પર તિબેટ પાસે ભારત માટે પડકાર વધી ગયો છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
