ક્યારે ખતમ થશે કોરોના મહામારી? WHOએ જણાવી સમયસીમા
જો દુનિયા એક રહી અને વેક્સીની શોધ થઈ તો કોરોના બે વર્ષથી ઓછા સમયમાં ખતમ થઈ જશે.
નવી દિલ્લીઃ દુનિયાભરમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યુ છે. અમેરિકા, બ્રાઝિલ અને ભારત સૌથી વધુ સંક્રમિત દેશ છે. અત્યાર સુધી આ જાનલવા વાયરસનુ કોઈ સમાધાન નથી નીકળી શક્યુ. લગભગ 8 લાખ લોકોના મોત થઈ ચૂક્યા છે. આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)ને આશા છે કે બે વર્ષથી પણ ઓછા સમયમાં કોરોના વાયરસ મહામારી ખતમ થઈ જશે. ડબ્લ્યુએચઓના પ્રમુખ ટેડ્રો એધનોમ ધેબ્રેયુસુસે શુક્રવારે કહ્યુ કે 1918માં શરૂ થયેલ સ્પેનિશ ફ્લુ બે વર્ષમાં સમાપ્ત થયો હતો. તેમણે કહ્યુ કે જો દુનિયા એક રહી અને વેક્સીની શોધ થઈ તો આ મહામારી બે વર્ષથી ઓછા સમયમાં ખતમ થઈ જશે.

ડબ્લ્યુએચઓના પ્રમુખ ટેડ્રોસનુ કહેવુ છે કે 'વધુ પ્રોદ્યોગિકી સાતે હવે આપણી સ્થિતિ નિશ્ચિત રીતે વધુ સંયોજક છે. વળી, વાયરસને ફેલાવાનો એક સારો મોકો છે જ્યારે તે ઝડપથી આગળ વધી શકે છે. બરાબર એ જ સમયે આપણી પાસે આને રોકવા માટે ટેકનિક અને જ્ઞાન પણ છે.' તમને જણાવી દઈએ કે કોરોના વાયરસથી અત્યાર સુધી 22.81 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. કુલ 9793,382 લોકોના મોત થઈ ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકા અને બ્રાઝિલ હજુ પણ બિમારીના સૌથી મોટા ગઢ બની ચૂક્યા છે. અમેરિકામાં કુલ સંક્રમિતોની સંખ્યા 57.01 લાખને પાર કરી ગઈ જ્યારે બ્રાઝિલમાં અત્યાર સુધી 34.60 લાખથી વધુ કેસ નોંધાયા છે. આ રીતે કુલ મોત મામલે પણ બંને દેશ એક લાખના આંકડાના પાર કરી ચૂક્યા છે. અમેરિકામાં કુલ 1.76 લાખથી વધુ મોત થઈ ચૂકી છે જ્યારે બ્રાઝિલમાં 1.11 લાખથી વધુ લોકો કોરોનાથી મરી ચૂક્યા છે. વળી, ભારતમાં કોરોના સંક્રમિત લોકોનો આંકડો 29 લાખને પાર પહોંચી ચૂક્યો છે. શુક્રવારે 68,898 નવા કેસ સામે આવ્યા અને 983 લોકોના મોત થઈ ગયા. દેશમાં કોરોનાથી મરનારની સંખ્યા વધીને 54,849 થઈ ગઈ છે. પરંતુ સારી વાત એ છે કે સંક્રમણથી રિકવર થનાર લોકોની સંખ્યા સાડા 21 લાખથી વધુ થઈ ગઈ છે અને તપાસમાં ગતિ આવી છે.












Click it and Unblock the Notifications
