અમેરિકામાં કોરોના વાયરસથી 3000થી વધુ મોત, સંક્રમિત દર્દી દોઢ લાખને પાર
કોરોના વાયરસના કારણે અમેરિકામાં સોમવાર સુધી 3000થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે.
કોરોના વાયરસના કારણે અમેરિકામાં સોમવાર સુધી 3000થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. આ સંખ્યા એવા સમયમાં સામે આવી છે જ્યારે એક દિવસ પહેલા જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ હતુ કે દેશમાં આ મહામારીના કારણે એક લાખથી વધુ લોકોના મોત થઈ શકે છે. ન્યૂયોર્કમાં અમેરિકી નેવીની હોસ્પિટલ શિપ પણ સોમવારે પહોંચી ગઈ છે અને આ શિપ પર 1000 લોકોના ઈલાજની સુવિધા છે. અમેરિકામાં સંક્રમિત દર્દીનો આંકડો 1.6 લાખથી વધુ થઈ ગયો છે.

નેવીએ તૈયાર કરી 1000 લોકો માટે હોસ્પિટલ
અહીં અત્યાર સુધી 3,071 લોકોના મોત થઈ ચૂક્યા છે અને સોમવારે જ 540 લોકોના મોત થઈ ગયા છે. કુલ દર્દી 163,000 છે અને આ આંકડો અત્યાર સુધીનુ સર્વોચ્ચ સ્તર છે. ન્યૂયોર્ક અને ન્યૂજર્સીના લોકોએ હડસન નદીની બંને તરફ ઉભા રહીને યુએસ નેવી માટે તાળીઓ વગાડી. નેવીએ એક ઓઈલ ટેન્કરને સફેદ રંગથી પેઈન્ટ કરી છે અને તેના પર રેડક્રોસ બનાવ્યુ છે. નેવીની શિપ જેવી સ્ટેચ્યુ ઑફ લિબર્ટીથી આગળ વધ્યુ બીજા જહાજો અને હેલીકૉપ્ટર્સનો સાથ મળ્યો.
આ શિપ પર 1000 લોકોનો ઈલાજ થઈ શકે છે. અહીં એ લોકોનો ઈલાજ થશે જે કોરોના વાયરસ સંક્રમિત નથી અને તેમને કોઈ ઑપરેશન કે પછી ક્રિટિકલ કેરની જરૂર નથી. નેવી તરફથી કહેવામાં આવ્યુ છે કે આ પ્રયાસ એટલા માટે કરવામાં આવ્યો છે જેથી બીજા સંશાધને જે વાયરસ સામે લડી રહ્યા છે તેના પર બોજ ન પડે. ન્યૂયોર્ક સિટીના મેયર બિલ ડે બ્લાસિયોએ કહ્યુ, આ એક યુદ્ધનો સમય છે અને આપણે સૌએ એખસાથે આવવુ પડશે. ન્યૂયોર્કમાં હોસ્પિટલ ફૂલ થઈ ચૂક્યા છે અને અધિકારીઓએ વૉલેંટિયર હેલ્થ કેર વર્કર્સને આગળ આવવા કહ્યુ છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા








Click it and Unblock the Notifications
