બ્રાઝીલમાં ચક્રવાતને પગલે 11નાં મોત, 20 લોકો લાપતા
બ્રાઝીલના દક્ષિણી રાજ્ય રિયો ડી જેનેરા ગ્રાંડે ડો સુલમાં ચક્રવાતના કારણે 11 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 20 લોકો લાપતા થઇ ગયા છે. આ ચક્રવાતના કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થઇ ગયું છે.
જે વિસ્તારોમાં પૂર જેવા હાલાત છે ત્યાં હેલીકોપ્ટરથી હવાઇ સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે અને લાપતા લોકોની તલાશ કરવામાં આવી રહી છે. ચક્રવાતથી કારા શહેર સૌથી વધુ પ્રભાવિત થયું છે, અહીં 8000 લોકો આ ચક્રવાતથી પ્રભાવિત થયા છે.

રિયો ડી જેનેરા ગ્રાંડે ડો સુલના ગવર્નર એડૂરાડો લીટેએ કહ્યું કે અમારા માટે કારામાં ચિંતાજનક પરિસ્થિતિ થઇ ગઇ છે. વ્યવસ્થિત રીતે અમે આ પ્રભાવિત વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોની મદદ કરીએ તો જરૂરી છે.
પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું કે શુક્રવારે રાતે મૈકીનમાં ભારે વરસાદ થયો, અતિ વરસાદના કારણે લોકોની સમસ્યામાં વધારો થયો છે. કેટલાય સ્થાનિક લોકો તેનાથી પ્રભાવિત છે, તેમણે આઉટડો સ્પોર્ટ્સ સેંટરમાં શરણ લઇ રાખી છે. પ્રશાસન તરફથી કેટલાય વિસ્તારોમાં ભૂસ્ખલનની ચેતાવણી જાહેર કરવામમાં આવી છે.
પાછલા બે દિવસમાં પ્રશાસને 2400 લોકોના રેસ્ક્યૂ કર્યાં છે. અધિકારીઓએ જણાવ્યું કે અમારો ઉદ્દેશ્ય લોકોનો જીવ બચાવવાનો છે. જે લોકો ફસાયા છે તેમની મદદ માટે અમે કામ કરી રહ્યા છીએ.
વધુમાં તેમણે કહ્યું કે, લાપતા લોકોની તલાશ ચાલી રહી છે, તેમને તથા તેમના પરિવારના લોકોને મદદ ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. જણાવી દઈએ કે બ્રાઝિલમાં ખતરનાક પૂર સામાન્ય વાત છે, પાછલા કેટલાક દશકમાં આ સમસ્યાને કારણે મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
