બ્રિટનની સંસદમાં કાશ્મીર પર ચર્ચા, ભારતે ઊઠાવ્યો વાંધો
લંડન, 11 સપ્ટેમ્બર: ભારત સરકારે બ્રિટેનના સાંસદોની 'કાશ્મીરમાં રાજનૈતિક અને માનવીય સ્થિતિ' પર ગુરુવારે ચર્ચા કરવાની યોજના પર વાંધો ઉઠાવ્યો છે.
રેમીડિયાના અહેવાલ અનુસાર, ભારતે આ પગલાને કાશ્મીરમાં ભારતની ભૂમિકાની એક ટિકા કરવાનો પ્રયત્ન ગણાવ્યો છે. ભારતે આ પગલાને આ વિસ્તારમાં તેની સંપ્રભુતા પર સવાલ ઊભા કરવા પણ જણાવ્યું છે. મજાની વાત એ છે કે જે સમયે કાશ્મીર છેલ્લા 100 વર્ષોના સૌથી ભીષણ પૂરનો સામનો કરી રહ્યો છે, તે જ સમયે ત્યાની સ્થિતિ પર ચર્ચા કરાવવામાં આવી રહી છે.

અત્રે ચર્ચા હાઉસ ઓફ કોમન્સના મુખ્ય ગૃહમાં નહીં થાય, પરંતુ બ્રિટિશ સંસદની કમિટિ રૂમમાં આયોજિત કરાશે. પરંતુ તેના સબ્જેક્ટ અધિકૃત રૂપથી નોંધવામાં આવશે. ભારતીય સ્વતંત્રતા સેનાની સરત બોસસની 125મી જયંતિના અવસર પર સપ્તાહના અંતમાં આયોજિત એક સમારંભને સંબોધિત કરતા બ્રિટેનમાં ભારતીય ડેપ્યુટી હાઇકમિશ્નર વીરેન્દ્ર પૉલે એવું કહીને મુશ્કેલીમાં મૂકી દીધા, 'સમય સમયે અમે એવું જોયું છે કે સમાજના કેટલાંક વર્ગમાં એવી ટેંડેંસી છે, જે આપણા મજબૂત સંબંધોમાં નથી.' તેમણે એક પ્રકારે ચેતવણી આવી, 'આપણે નજર રાખવાની જરૂર છે અને આ પ્રકારના પ્રયાસોથી સાવધાન પણ રહેવાનું છે.'












Click it and Unblock the Notifications
