Denmark quran Burnning: કુરાન સળગાવાને રોકવા માટે ડેનમાર્કનું કડક વલણ, વિરોધને રોકવા માટે કાયદો બનાવશે
હાલના વર્ષોમાં ડેનમાર્ક અને સ્વીડનમાં મુસલમાનોના પવિત્ર ગ્રંથ કુરાનનું અપમાન કરવામાં આવ્યુ અને તેને સળગાવામાં આવ્યા હતા. પરંતુ હવે ડેનમાર્ક સરકાર કુરાનની સળગાવા પર રોક લગવા માટેની તૈયારી કરી રહી છે. જણાવામાં આવી રહ્યુ છે કે, કુરાનને સળગાવીને વિરોધ પ્રદર્શન કરનાર પર સખત કાર્યવાહી થઇ શકે છે. ડેનમાર્ક સરકારે કુરાનનું અપમાન કરનાર આવી ઘટનાઓ પર સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરી અને કહ્યુ કે, સરકાર પવિત્ર ગ્રંથને સળગાવાને લઇને થઇ રહેલા વિરોધ પ્રદર્શનને રોકવા માટે કાયદાકીય ઉપાય શોધશે.

ઉલ્લેખનીય છે કે, ડેનમાર્કમાં મંગળવારે કોપેનહેંગનમાં ઇસ્લામ વિરોધી પ્રદર્શનકારીયો સાથે નાના સમુહોએ મિસ્ત્ર અે તુર્કીના દુતાવાસની સામે કુરાનની પ્રતિ સળગાવી હતી. આ પહેલા સ્વીડનમાં ઇદના અવસર પર એક મસ્જીદની સામે કુરાનને સળગાવામાં આવી હતી. તો કરુાન સળગાવાના વિરોધમાં ઇરાકમાં પ્રદર્શનકારીઓએ બગદાદ સ્થિત સ્વીડન દુતાવાસમાં તોડફોડ અને આગ લગાવી દિધી હતી.
રવિવારે એક અલગ નિવેદનમાં સ્વીડન પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટર્સને કહ્યુ કે, તે ડેનિસ ના પીએમ મેટે ફ્રેડરિકસેનના સંપર્કમાં છે. અને સ્વીડનમાં પણ આ પ્રકારની પ્રક્રિયા પહેલાથી જ ચાલી રહી છે. ક્રિસ્ટર્સનના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં કહેવામાં આવ્યુ છએ કે, " અમે અમારી રાષ્ટ્રીય સુરક્ષા અને સ્વીડન અને દુનિયા ભરમાં સ્વીડનની સુરક્ષાને મજબુત કરવાના ઉપાયો પર વિચાર કરતા પહેલા જ કાયદાની સ્થિતિને વિશ્લેષણ કરવાનું શરુ કરી દિધુ છે.












Click it and Unblock the Notifications
