પાક.માં રાજકીય ઉથલપાથલ, 8ના મોત-300 ઘાયલ
સવાર થતાજ પોલીસ અને પ્રદર્શનકારીઓની વચ્ચે એકવાર ફરી ઝડપ શરૂ થઇ ગઇ. ઇમરાન ખાને પ્રદર્શનકારીઓને વડાપ્રધાનના રહેઠાણને ઘેરવા માટે આહ્વાન કર્યું, અને જણાવ્યું કે જ્યા સુધી નવાઝ શરીફ રાજીનામુ ના આપે ત્યા સુધી અહીં જ ડટ્યા રહો. સંસંદ ભવનની દીવાર તોડીને પ્રદર્શનકારીઓ પરિસરમાં ઘુસી ગયા. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓની વચ્ચે હિંસક ઝડપમાં અત્યાર સુધી 8 લોકોના મોતના સમાચાર છે. લાઠીચાર્જ અને ટિયર ગેસ છોડવાની પોલીસની કાર્યવાહીમાં અત્યાર સુધી 300થી પણ વધારે પ્રદર્શનકારીયો ઘાયલ થઇ ગયા છે.
પ્રદર્શનકારીઓની માર્ચ શરૂ કરતા પહેલા ગૃહ મંત્રાલયે જાહેરાત કરી હતી કે તેમને રોકવા માટે જવાનોને ખડેપગે કરવામાં આવશે. ખાન અને કાદરી બંને શરીફના રાજીનામાની માંગ કરી રહ્યા છે. ખાન ગયા વર્ષે સામાન્ય ચૂંટણીમાં છેડછાડનો આરોપ લગાવી રહ્યા છે. ખાને જણાવ્યું કે 'હું વડાપ્રધાન રહેઠાણ સુધી માર્ચનું નેતૃત્વ કરીશ. મારા તમામ સમર્થક મારી સાથે હશે.' તેમણે મહિલાઓ અને બાળકોને જણાવ્યું કે જ્યાં સુધી તેઓ ના કહે ત્યાં સુધી તેઓ રોકાઇ રહે, તેમની સાથે ના આવે.
આની વચ્ચે પ્રદર્શનકારી લાહોર અને કરાચીમાં પણ ફેલાઇ ગયા છે. સરકારે હાલાત પર કાબૂ મેળવવા માટે સેનાને બોલાવી છે. લગભગ 100 પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રદર્શનકારી સતત 'આઝાદી' અને 'નવાઝ ઝાઓ'ના નારા લગાવી રહ્યા છે. આની વચ્ચે ઝિયો ટીવીના ઓફિસ પર પણ પ્રદર્શનકારીઓએ હુમલો કરી દીધો છે.
તણાવ વધવાની સાથે જ પ્રધાનમંત્રી નવાઝ શરીફ લાહોર રવાના થઇ ગયા. મોડી રાત્રે સરકાર તરફથી કરવામાં આવેલ જાહેરાતમાં શરીફના રાજીનામાની વાત સ્પષ્ટપણે રદ કરી દીધી. પ્રદર્શનકારી શરીફ અને તેમની સરકારની વિરુદ્ધ નારેબાજી કરતા નેશનલ એસેમ્બલીથી વડાપ્રધાન રહેઠાણ તરફ આગળ વધવા લાગ્યા હતા. આનાથી થોડીવાર પહેલા જ પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફના પ્રમુખ ઇમરાન ખાન અને પાકિસ્તાન આવામી તહરીકના નેતા કાદરીએ પ્રદર્શન સ્થળ બદલવાની જાહેરાત કરી હતી.