ઇજિપ્તના હુમલામાં 235નું મૃત્યુ, પાક.ના પેશાવરમાં આત્મઘાતી હુમલો
શુક્રવારે બે મોટા હુમલાઓઇજિપ્તના મિસ્ત્રમાં ચરમપંથીઓનો હુમલો, 235નું મૃત્યુપાકિસ્તાનના પેશાવરમાં આત્મઘાતી હુમલો, એઆઇજીનું મૃત્યુ
ઇજિપ્તના ઉત્તરી પ્રાંત સિનાઇમાં એક મસ્જિદ પર મોટો હુમલો થયો હતો. આ હુમલામાં 235 લોકોનું મૃત્યુ થયું છે અને અનેક ઇજાગ્રસ્ત છે. સ્થાનિક ખબરો અનુસાર, સંદિગ્ધ ચરમપંથીઓએ બોમ્બથી મસ્જિદ પર હુમલો કર્યો હતો અને ત્યાર બાદ ગોળીબાર કર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓએ મીડિયાને જાણકારી આપતા કહ્યું હતું કે, શુક્રવારે નમાજ દરમિયાન અલ-અરિશ નજીક અલ-રાવદાની એક મસ્જિદમાં આ ઘટના ઘટી હતી. આ પહેલાં સિનાઇમાં જ ઇજિપ્તના સૈનિકો પર મોટો ચરમપંથી હુમલો કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં ચરમપંથીઓ સામે સંઘર્ષ કરી રહ્યું છે. વર્ષ 2013માં ત્યારના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોર્સીને પદ પરથી ખસેડ્યા બાદ આ વિસ્તારમાં ચરમપંથીઓના હુમલા વધતા જાય છે.

તો બીજી બાજુ પાકિસ્તાનમાં પણ શુક્રવારે આતંકી હુમલો થયો હતો. પાકિસ્તાનના પખ્તુનખ્વાની રાજધાની પેશાવરમાં એક આત્મઘાતી હુમલો થયો હતો. હુમલાખોરે મોટરસાયકલથી એક વાહનને ટક્કર મારી દીધી હતી, જેના કારણે વરિષ્ઠ પોલીસ અધિકારી(AIG) અને તેમના ગનમેનનું મૃત્યુ થયું હતું અને વાહનની સુરક્ષામાં સાથે જઇ રહેલ છ પોલીસ કર્મચારીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે, આસપાસથી પસાર થઇ રહેલ વાહનોની બારીના કાચ પણ તૂટી ગયા હતા અને નજીકના વૃક્ષોમાં આગ લાગી ગઇ હતી. સ્થાનિક સમાચાર ચેનલના અહેવાલ અનુસાર, પોલીસ ઓફિસર(સીસીપીઓ) તાહિર ખાને કહ્યું કે, મોટરસાયકલ પર સવાર આત્મઘાતી માનવ-બોમ્બે પોલીસના કાફલાને નિશાન બનાવ્યો હતો. પાકિસ્તાનના પીએમ શાહિદ ખાકાન અબ્બાસીએ પેશાવરમાં થયેલ હુમલાને વખોડતાં શહીદ પોલીસ કર્મચારીઓને સલામ કરી હતી અને કહ્યું હતું કે, આતંકવાદીઓની કાયરતાપૂર્ણ કાર્યવાહી કાયદાકીય એજન્સિઓ અને દેશને ડરાવી નહીં શકે.

-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
