પેશાવર એરપોર્ટ પર બંદૂકધારીઓનો પ્લેન પર હુમલો
પેશાવર, 25 જૂન : પાકિસ્તાનના પેશાવરના બાચ્છાખાન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA)ની ઇન્ટરનેશનલ ફ્લાઇટની લેન્ડિંગ સમયે બંદૂકધારીઓએ હુમલો કરી દીધો હતો. પ્લેન પર થયેલા ગોળીબારમાં એક મહિલાનું મોત થયું છે. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરો ફ્લાઇટ લેન્ડિંગ સમયે એરપોર્ટની પાસે જ સંતાયેલા હતા.
પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (પીઆઇએ)ના વિમાન બોઇંગ ફ્લાઇટ પીકે-756 પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગોળીબાર દરણિયાન આ વિમાનમાં 178 મુસાફરો સવાર હતા. આ વિમાન સાઉદી અરબના રિયાદથી યાત્રીઓને લઇને પેશાવર આવી રહ્યું હતું. પ્લેન જે સમયે લેન્ડિંગ કરી રહ્યું હતું તે સમયે તેના પર ગોળીઓ ચલાવવામાં આવી રહી હતી.

આ હુમલા અંગે પીઆઇએના પ્રવક્તા મસુદ તાજવરે જણાવ્યું છે કે તેમની પાસે ગોળીબારમાં બે લોકો ઘાયલ થયા હોવાની માહિતી છે. જેમાં વાજિદ અને ઇજાજ નામના બે ફ્લાઇટ સ્ટુઅર્ટનો સમાવેશ થાય છે. પોલીસના એક અધિકારીએ શંકા વ્યક્ત કરી છે કે હુમલાખોરો એરપોર્ટ પાસે આવેલા એક રહેણાંક વિસ્તારમાં સંતાયેલા હતા. ગોળી ત્યાંથી ચલાવવામાં આવી હતી.
વાજિદનું કહેવું છે કે વિમાન 250થી 300 ફૂટની ઊંચાઇ પર હતું ત્યારે વિમાનના પાછલા હિસ્સાને નિશાન બનાવીને ગોળીબાર કરવામાં આવ્યો હતો. સદનસીબે કેપ્ટન તારિક ચોધરીએ વિમાનને સુરક્ષિત રીતે એરપોર્ટ પર ઉતાર્યું હતું.જેના કારણે મોટી દુર્ઘટના થતા અટકી ગઇ હતી. વાજિદના પગમાં ગોળીઓ વાગી છે. તેણે જણાવ્યું કે ગોળીઓ પાસેના તેહકાલ વિસ્તારમાંથી ચલાવવામાં આવી રહી હતી.
વાજિદના સહકર્મી ઇજાજને ત્રણ ગોળીઓ વાગી છે. તેને પેશાવરના કમ્બાઇન્ડ મિલિટ્રી હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યો છે. તેમનું ઓપરેશન ચાલી રહ્યું છે. આ દરમિયાન પેશાવર વિમાન મથક પર તત્કાલ આવાગમન રોકીને કુઆલાલુમ્પુરથી પેશાવર તરફ આવી રહેલી ફ્લાઇટ્સને લાહોર વિમાન મથક તરફ વાળી દેવામાં આવી છે. સુરક્ષા દળોએ હુમલાખોરોને પકડવા માટે તલાશી અભિયાન શરૂ કરી દીધું છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
