IMF: વૈશ્વિક અર્થવ્યવસ્થા પર કોરોના વાયરસના કારણે પડશે ખરાબ પ્રભાવ
કોરોના પ્રભાવ વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પણ પડી રહ્યો છે જે આવનારી મોટી મંદી તરફ દુનિયાને ધકેલી રહ્યો છે.
દુનિયા અત્યારે વૈશ્વિક મહામાહી કોરોના વાયરસના પ્રકોપ સામે ઝઝૂમી રહી છે. ચીનથી નીકળેલ આ જાનલેવા વાયરસે લગભગ 145 દેશોને પોતાની ચપેટમાં લીધા છે. આ મહામારીથી અત્યાર સુધી 10 હજારથી વધુ લોકોના જીવ જઈ ચૂક્યા છે જેના કારણે દુનિયાભરની સરકારો ફફડાટમાં છે. કામકાજ, વૈશ્વિક વેપાર ત્યાં સુધી કે ઘણી ઈટલી જેવા દેશોએ ખુદને સંપૂર્ણપણે બંધ કરી લીધા છે. આ બધાનો પ્રભાવ વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પણ પડી રહ્યો છે જે આવનારી મોટી મંદી તરફ દુનિયાને ધકેલી રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય મુદ્રાકોણના એક વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે આ ચેતવણી આપતા કહ્યુ કે વૈશ્વિક કોરોના વાયરસ મહામારીનો પ્રભાવ ઘણો ગંભીર હશે પરંતુ એક લાંબી વિસ્તાર સમય અને ઉચ્ચ રોજગાર દરનો અર્થ છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થાને વર્તમાન સ્થિતિમાં મોટો ઝટકો મળી શકે છે. આઈએમએફની રણવીતિ અન સમીક્ષા વિભાગના પ્રમુખ માર્ટિન મુહેલેસેને એક ઈન્ટરવ્યુમાં આગળ કહ્યુ, અત્યારે સરકારોનુ મુખ્ય લક્ષ્ય આ રીતની મહામારીના વિસ્તારને સીમિત કરવાનો હોવો જોઈએ, જેનાથી અર્થવ્યવસ્થાને લાગનાર આર્થિક ઝટકો અસ્થાયી થાય.
તેમણે કહ્યુ કે બેંકો અને સરકારોએ બજારોને તરલતા આપવા અને તેમને કાર્યશીલ રાખવા માટે પહેલેથી જ અભૂતપૂર્વ ઉપાય કર્યા છે પરંતુ આની કદાચ વધુ જરૂર રહેશે. તેમના પ્રભાવને વધારવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે આવા પગલાને સમન્વય કરવા જોઈએ. આ સંકટ માટે સારા સંગઠન અને વધુ સમન્વિત આરોગ્ય પ્રતિક્રિયા જરૂર છે જેનાથી જેટલુ જલ્દી થઈ શકે આત્મવિશ્વાસ પાછો આવે. સાત અમીર દેશોના સમૂહના નેતાઓના ગયા સપ્તાહે કહ્યુ કે તે પ્રકોપનો જવાબ આપવા માટે અમુક જરૂરી પગલાં લેશે પરંતુ તેમણે આના પર વિશિષ્ટતા નથી આપી,જેનાથી બજારોમાં બેચેની વધી ગઈ છે. વિશેષજ્ઞોનુ કહેવુ છે કે દુનિયાની 20 મુખ્ય અર્થવ્યવસ્થા(જી20)ના નેતા આગામી સપ્તાહ એક આભાસી શિખર સંમેલન આયોજિત કરશે. તમને જણાવી દઈએ કે આ વાયરસે દુનિયાભરમાં 254,700થી વધુ લોકોને સંક્રમિત કર્યો છે અને 10,451 લોકોના મોત થયા છે. રોગા પ્રસારને રોકવાના પ્રયાસોથી દુનિયાભરમાં આપૂર્તિ અને માંગને ગંભીર ઝટકો લાગ્યો છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
