Iarael: ઇજરાયલમાં વ્યાપક વિરોધ બાદ નેતન્યાહૂ સરકારે, ન્યાયીક સુધાર યોજના રોકવાનું એલાનન
ઇજરાયલના પ્રધાનમંત્રી બેજામીન નેતન્યાહુની જાહેરાત કરી કે, ન્યાયપાલીકાને લઇને નવા નિમયને લઇને વધતા શ્રમ વિરોધ અને વધતા જતા હૂમલાને લઇને હમણા લાગુ કરવામાં નહી આવે. નવા કાયદામાં સુધારને લઇને કહેવામાં આવ્યુ છે કે, હવે તે આના પર વિચાર કરશે. આગામી બોર્ડ નિર્ણય લેવામાં આવે ત્યા સુધી ન્યાયિક સુધાર યોજના લાગુ નહી કરવામાં આવે. આ વાત ઇજરાયલના પીએણ નેતન્યાહૂે સોમવારે રાષ્ટ્રીય સ્તર પર પ્રસારીત પોતાના સંબોધનમાં કરી હતી. જેમા તેમણે કહ્યુ કે, "ગૃહ યુદ્ધથી બચવાને લઇને વાતચીત એક માધ્યમ છે. હુ પીએમ તરીકે વાતચીત માટે સમય કાઢી રહ્યો છુ".

ન્યાયિક પ્રક્રિયાઓ પર સંસદના નિયંત્રણને વધુ મોટા બનાવવા માટે ઇઝરાયલ સરકારની નવી યોજનાએ મોટા આંદોલનને જન્મ આપ્યો છે. આ વિપક્ષ અને વિરોધ કરી રહેલા લોકોએ આ કદમને લોકતંત્ર માટે ખતરો ગણાવ્યો હતો અને શ્રમિકોએ તેમની યોજનાને પરત લેવાની માગ સાથે મોટા લેવલ પર વિરોધ પ્રદર્શન એક રાષ્ટ્રીય કક્ષાની હડતાલ શરુ કરી હતી. અરાજક્તાએ દેશના મોટા ભાગમાં બંધ કરી દિધો અે અર્થવ્યવસ્થા લકવા મારવાની ધમકી આપી હતી. બૈન ગુરિયન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉડાન રદ્દ કરવામાં આવી ને દેશના મુખ્ય બંદરો પર કામ રોકી દેવામાં આવયુ હતુ. કિંડસ્માર્ટન અને મોલ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા સાથે જ ફાસ્ટ ફુડ ચેન મેકડોનલ્સઓ પણ બંધ કરી દેવામાં આવી હતી
પીએમ નેતન્યાહુએ કહ્યુ કે, નવા કાયદાને લાવતા પહેલા તેમણે વ્યપાક સહમતી પ્રાપ્ત કરી હતી. તે આ કાયદાને લઇને દ્રઢ અને આશ્વસ્સ્ત હતા. તેમણે હવે વિરોધને લઇને સ્થગીત કરવો પડ્યો છએ. પીએમના આ સંબોધનના તુંરત બાદ દેશના સોથી મોટા શ્રમીક સંઘ હિસ્તાદુરના પ્રમુખે કહ્યુ કે, તે આમ હડતાલ પરત લઇ લેશે. તો વિરોધમાં શામીલ ઇજરાયલના લોકોને કહ્યુ કે, જ્યાં સુધી કેસેટ કાયદાને નાબુદ ના કરવામાં આવે ત્યાં સુધી રાષ્ટ્રીય વિરોધ ચાલુ રહેશે .
આ પહેલા ઇજરાયલના રાષ્ટ્રપતી ઇસહાક હર્જોગે પણ આ પ્રક્રિયાનને રોકવાનું આહ્વાન કર્યુ હતુ. હર્જોગે સોમવારે સવારે કહ્યુ કે, " ઇજરાયલ ના લોકોની એક્તા માટે, જવાબારી માટે હુ વિધેયક પ્રક્રિયાને તંરંત રોકવાનું આહ્વાન કરુ છુ."
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
