રૂસ-યુક્રેન યુદ્ધને લઇને UN માં પ્રસ્તાવ, ભારત-ચીને વોટિંગથી દૂરી બનાવી
રૂસ અને યુક્રેન વચ્ચે યુદ્ધને લઇને એક વર્ષ પુરુ થવા જઇ રહ્યુ છે. આ વચ્ચે યુદ્ધને લઇને યુએનમાં પ્રસ્તાવ લાવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ પર ભારત અને ચીન સહિત ઘણા દેશોએ વોટિંગ કર્યુ હતુ.
રૂસ અને યુક્રેન વચ્ચે યુદ્ધને એક વર્ષ પુરુ થયુ છે. આ યુદ્ધના એક વર્ષ પુરુ થવા પર યૂએનમાં જનરલ એસેમ્બલીમાં ખુલીને તમામ દેશોએ વોટિંગ કર્યુ હતુ. રૂસે યુક્રેનમાં તંરત યુદ્ધને રોકી દેવુ જોઇએ. અને પોતાની સેનાને પરત બોલાવી લેવી જોઇએ. યૂએજીએમાં કુલ 193 દેશ સભ્યો છે. જેમાથી 141 દેશોએ આ પ્રસ્તાવ પર પક્ષમાં વોટિંગ કર્યુ હતુ. જ્યારે ભારત અ્ને ચીસ સહિત 32 દેશોએ વોટિંગમાં ભાગ લીધો નહોતો. ભારતે પહેલા જ આ પ્રસ્તાવમાં વોટ નહી કરવાનો નિર્ણય લીધો છે. ભારત શાંતિપૂર્ણ ડિપ્લોમેટિક ચેનલના માધ્યથી આ મામલાનો નિર્ણય લાવા માંગે છે.

આ પ્રસ્તાવર પર વોટિંગ દરમિયાન ઘણા દેશોએ યુક્રેન પર રુસના હૂમલાની નિંદા કરી હતી . યુએનજીમાં એ વાતની માંગ ઉઠાવામાં આવી હતી કે, રૂસને તરુંત કિવમાથી પોતાની સેનાને હટાવી લેવી જોઇએ.અને શાંતિને સ્થાપિત કરવી જોઇએ.યૂએનમાં ભારતની સ્થા પ્રતિનિધ રૂચિરા કંબોજે કહ્યુ કે, રૂસ-યુક્રેન પર ભારતની સ્થિતિ બિલકુલ સ્પષ્ટ છે, સંવાદ અને કુટનીતિના માધ્યથી આ મામલને હલ કાઢી શકાય છે. ભારત યૂએનના ચાર્ટર સિદ્ધાંતોને સ્થાપિત કરવાને લઇને પ્રતિબધ છે. આપણે હમેશા વાતચીત અને કુટનીતિનું સમર્થન કરીશુ., કેમ કે, આ જ એકમાત્ર રસ્તો છે. જે પ્રસ્તાવ લાવામાં આવ્યો છે. તેનો ઉદેશ્ય સીમિત છે. અને અપેક્ષીત પરીણામ લાંબા સમયસીધી મેળવી શકાતો નથી જો કે અમે આ પ્રસ્તાવમાં વોટિંગ નહી કરીએ.
ભારતીય રાજનયિક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવેદનને ફરી પુનરાવર્તન કરતા કહ્યુ કે, અમે હમેશા એ વાતની વકાલત કરી છે કે, માનવીય જીવન પર કોઇ પણ સમાધાન ના કરી શકાય. અમારા પ્રધાનમંત્રી કહી ચૂક્યા છે. આ યુદ્ધનું હલ નથી. હિંસાને વધારવુ કોઇના પણ હિતમાં નથી. તેના બલદે સંવાદ અને કુટનીતિ જ આગળનો રસ્તો નક્કી કરી શકે છે. રચિરા કંબોજ કહ્યુ કે, યુક્રેનને લઇને ભારતનુ દિશા હમેશા માનવીય આધાર પર રહેશે. ભારત માનવીય મદદ યૂક્રેનને આપી રહ્યો છે. આ સિવાય આર્થિક મદદ પણ કરી રહ્યુ છે. શુ આપણે એવો કોઇ સમાધાન લાવવા જઇ રહ્યા છીએ જે બંને દેશોને સ્વીકાર્ય હોય












Click it and Unblock the Notifications
