કેનેડાના આરોપો પર એસ જયશંકરે કહ્યુ - 'આશા છે કે મે જે કહ્યુ તેને અમેરિકીઓએ જોયુ હશે...
S Jaishankar On Canada's Allegations: ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે તેઓ જાણે છે કે ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ પર અમેરિકાની પ્રતિક્રિયા શું છે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે બંને પક્ષોએ આ મામલે એકબીજાના મંતવ્યો સ્પષ્ટ કર્યા છે.
શુક્રવારે વૉશિંગ્ટન ડીસીમાં એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધતા એસ જયશંકરે કહ્યું, "અમેરિકનોએ જે કહ્યું તે મે જોયું છે અને આશા છે કે મેં જે કહ્યું છે તે અમેરિકનોએ જોયું હશે. મને લાગે છે કે અમે બંનેએ અમારા મંતવ્યો સ્પષ્ટ કર્યા છે. તેથી મને ખરેખર ખબર નથી કે હું બીજું શું ઉમેરી શકું.''

જયશંકરે વધુમાં કહ્યું કે, ''આ મામલામાં સૌથી મોટો મુદ્દો કેનેડામાં હિંસા અને ઉગ્રવાદની ઘટનાઓ સાથે જોડાયેલો છે, જેને ભારતે ચિહ્નિત કર્યો છે. કોઈ પણ ઘટના અલગ હોતી નથી અને કોઈ પણ ઘટના હંમેશા એકસાથે બનતી નથી. દરેક વસ્તુ માટે એક સંદર્ભ હોય છે અને ત્યાં ઘણી સમસ્યાઓ છે, તેથી વ્યક્તિગત કેસના મુદ્દાઓમાં, મને લાગે છે કે આપણે જોવું પડશે. સંબંધિત સરકારોએ એકબીજા સાથે વાત કરવી પડશે અને તે આને આગળ કેવી રીતે કરી શકે છે તે જોવું પડશે. પરંતુ કેનેડા પાસે મોટી સમસ્યા છે અને મને લાગે છે કે મોટા મુદ્દાને હાઇલાઇટ કરવાની જરૂર છે. મને લાગે છે કે ભારતે એક મોટી સમસ્યા ઓળખી લીધી છે.''
જયશંકરે આગળ કહ્યું, ''ભારતમાં, જો તમે તેમને કહો કે કેનેડામાં એવા લોકો છે જે હિંસા, અલગતાવાદની તરફેણ કરી રહ્યા છે, તો કોઈને આશ્ચર્ય થશે નહીં, ત્યાં આવો જ ઇતિહાસ છે. બધા ભારતીયો આની નોંધ પણ લે છે, મને શંકા છે કે બહુ ઓછા અમેરિકનો તે જાણે છે. મને લાગે છે કે આજની મીટિંગમાં મેં જે કહ્યું તે અમેરિકનો માટે નવું હતું.''
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
