Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કેનેડા સાથે સંબંધો વણસ્યા, તૂટી શકે છે ડિપ્લોમેટીક રિલેશન, ભારતે 40 રાજનાયિકોને પાછા બોલાવવા કહ્યુ

India-Cananda Row: ભારત સરકારે કેનેડાને દેશમાંથી ડઝનેક રાજદ્વારીઓને પાછા બોલાવવા કહ્યું છે તેમ ફાઇનાન્શિયલ ટાઇમ્સે મંગળવારે અહેવાલમાં જણાવ્યુ હતુ. એવી અટકળો ચાલી રહી છે કે ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી સંબંધો તૂટી શકે છે. રિપોર્ટમાં પરિચિત લોકોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે નવી દિલ્હીએ ઓટાવાને તેના 40 રાજદ્વારીઓને 10 ઓક્ટોબર સુધીમાં પાછા બોલાવવા કહ્યું છે.

જો કે, ભારત સરકારે હજુ સુધી આ અંગે સત્તાવાર રીતે નિવેદન બહાર પાડ્યું નથી. અખબારે કહ્યું છે કે ભારતમાં કેનેડાના 62 રાજદ્વારીઓ છે અને ભારતે કહ્યું છે કે કેનેડા તેના 41 રાજદ્વારીઓને પાછા બોલાવે.

india canada row

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ તાજેતરમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારનો હાથ હોવાનો આક્ષેપ કર્યા પછી નવી દિલ્હી અને ઓટાવા વચ્ચેના રાજદ્વારી સંબંધો સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે. ભારતમાં વોન્ટેડ આતંકવાદી નિજ્જરને 18 જૂને કેનેડાના બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુદ્વારાની બહાર પાર્કિંગમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

ટ્રુડોએ કેનેડિયન સંસદમાં ચર્ચા દરમિયાન આરોપ લગાવ્યો હતો કે કેનેડિયન રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓને એવું માનવા માટે કારણ છે કે "ભારત સરકારના એજન્ટો"એ નિજ્જરની હત્યા કરી હતી, જેઓ સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારાના સભ્ય હતા. જો કે, ભારતે દાવાઓને "વાહિયાત" અને "પ્રેરિત" ગણાવીને ફગાવી દીધા છે. ભારત સરકારે કહ્યું છે કે કેનેડાએ હજુ સુધી નિજ્જરની હત્યા થઈ હોવાના દાવાને સમર્થન આપવા માટે કોઈ જાહેર પુરાવા આપ્યા નથી.

વિદેશ મંત્રી એસ જયશંકરે તાજેતરમાં કહ્યું હતું કે દેશમાં આતંકવાદ, ઉગ્રવાદ અને હિંસા અંગે સરકારની "અનુમોદનશીલતા" ને કારણે કેનેડા સાથે ચાલી રહેલી સમસ્યા કેટલાક વર્ષોથી યથાવત છે. જયશંકરે જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિને "મડાગાંઠ" તરીકે ગણી શકાય નહીં. ભારત સરકાર આ મુદ્દા અંગે કેનેડિયન પક્ષ દ્વારા શેર કરેલા કોઈપણ ચોક્કસ અને સંબંધિત મુદ્દાઓ પર વિચાર કરવા તૈયાર છે.

કેનેડાના વડાપ્રધાનના આરોપો બાદ કેનેડાના વિદેશ મંત્રાલયે એક વરિષ્ઠ ભારતીય રાજદ્વારીને દેશમાંથી હાંકી કાઢવાની જાહેરાત કરી હતી, જે બાદ ભારતે પણ જેવા-સાથે-તેવાની નીતિ અપનાવી હતી અને કેનેડાના વરિષ્ઠ અધિકારીને પાંચ દિવસમાં દિલ્હી છોડવા કહ્યું હતું. આ પછી ભારતે કેનેડા સાથેની વિઝા સેવા સ્થગિત કરી દીધી હતી અને હવે ભારતે કેનેડાને તેના 40 અધિકારીઓને 10 ઓક્ટોબર સુધીમાં પરત બોલાવવા કહ્યું છે. તેથી માનવામાં આવે છે કે સ્થિતિ ગંભીર બની ગઈ છે અને બંને દેશો વચ્ચે તણાવ છે. સંબંધો તૂટવાના તબક્કે પહોંચી ગયા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X