મોદી પહોંચ્યા ઉઝબેકિસ્તાન, જાણો બંને દેશો વચ્ચેની રસપ્રદ વાતો
તાશકંદ, 6 જુલાઇ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આઠ દિવસ માટે પોતાના વિદેશ પ્રવાસના પહેલા પડાવ ઉઝબેકિસ્તાન પહોંચી ગયા છે. સેંટ્રલ એશિયામાં ઉઝબેકિસ્તાનથી ભારતના સંબંધો ખૂબ જ સારા છે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્રેના રાષ્ટ્રપતિ ઇસ્લામ કરીમોવથી બંને દેશોના સંબંધોને સારા બનાવવા માટે ઘણા દ્વીપક્ષિય કરારો પર હસ્તાક્ષર કરવામાં આવશે.
ઉઝબેકિસ્તાનમાં 3000થી પણ વધારે ભારતીયો રહે છે. વડાપ્રધાન મોદીનો ઉઝબેકિસ્તાન પ્રવાસ ઘણો મહત્વનો છે. આવામાં આપે બંને દેશોની વચ્ચેના સંબંધો અંગે જાણવું ખૂબ જ જરૂરી છે.
આવો જાણીએ કે બંને દેશો વચ્ચે જોડાયેલ મહત્વપૂર્ણ તથ્યો...
1.
ભારતમાં મુગલ વંશનો પાયો નાખનાર બાબર ઉઝબેકિસ્તાનથી જ આવ્યો હતો.
2.
ભારતીય સિનેમાને ઉઝબેકિસ્તાનમાં ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત છે અને અત્રેની ફિલ્મોને ખૂબ જ જોવામાં આવે છે.
3.
દેશના પહેલા વડાપ્રધાન નેહરૂએ પહેલીવાર 1955 અને 1961માં ઉઝબેકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો.
4.
વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ 1966માં ઉઝબેકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો અને તાશકંદમાં તેમનું મૃત્યું થયું હતું.
5.
વડાપ્રધાન નરસિંહા રાવે 1993માં ઉઝબેકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો અને મનમોહન સિંહે 2006માં અત્રેનો પ્રવાસ કર્યો હતો.
6.
ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ કરિમોવે ભારતનો પ્રવાસનો પ્રવાસ 1994, 2000, 2005માં પ્રવાસ કર્યો હતો જ્યારે 2011માં છેલ્લે તેમણે ભારતનો પ્રવાસ કર્યો હતો.
7.
ભારત અને ઉઝબેકિસ્તાનની વચ્ચે વ્યાપાર, રોકાણ, ઉદ્યોગ, શિક્ષણ, હવાઇ યાત્રા, વિજ્ઞાન અને ટેકનિક સહિત ઘણા ક્ષેત્રમાં દ્વીપક્ષિય કરાર છે.
8.
ઉઝબેકિસ્તાનના 6 સંસ્થાન ભારતીય ભાષાઓમાં શિક્ષણ આપે છે.
9.
ઉઝબેક રેડિયોએ હિન્દી ચેનલના રૂપમાં 2012માં 50 વર્ષ પૂરા કર્યા છે.
10.
ઉઝબેક ટીવીએ એકવાર કરતા વધારે રામાયણ અને મહાભારત કાર્યક્રમનું પ્રદર્શન કર્યું છે.
11.
2011-12માં ઉઝબેકિસ્તાને ભારતના યૂએનમાં અસ્થાઇ સભ્યતાને પોતાનું સમર્થન આપ્યું હતું. એટલું જ નહીં ભારત યૂએનએસસીમાં સ્થાઇ બેઠક આપવાને પણ ઉઝબેકિસ્તાને સાર્વજનિક રીતે સમર્થન આપ્યું છે.