કોરોના અપડેટ : ચીન અન્ય દેશોમાં જઈને રસીની ટ્રાયલ કેમ કરી રહ્યું છે?

ચીનમાં કોરોના વાઇરસના સંક્રમણનો આંક ખૂબ જ ઓછો છે, જેથી ચીન અન્ય દેશોમાં ક્લિનિકલ ટ્રાયલ કરવા જઈ રહ્યું છે.

પાકિસ્તાન સહિત ચાર દેશોની ચીનને વૅક્સિનની ટ્રાયલ માટે મંજૂરી

ચીનની રસી

રવિવાર, 6 સપ્ટેમ્બર, 2020, નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.


ચાઇના નેશનલ બાયૉટેક ગ્રૂપ (સીએનબીજી) અને સિનોવૅક બાયૉટેક લિમિટેડે શનિવારે કહ્યું છે કે ચાર દેશોએ તેમની ત્યાં ચીનમાં બનેલી કોરોના વૅક્સિનની અંતિમ તબક્કાની ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી આપી દીધી છે.

ચીન વૅક્સિન શોધી કાઢવાની હોડમાં વૈશ્વિક પ્રયાસ વધારી રહ્યું છે.

સર્બિયા અને પાકિસ્તાન તેમની ત્યાં ત્રીજા તબક્કાની ટ્રાયલ માટે સહમત થયા છે.

ચીનમાં કોરોના વાઇરસના સંક્રમણનો આંક ખૂબ જ ઓછો છે, જેથી ચીન અન્ય દેશોમાં ક્લિનિકલ ટ્રાયલ કરવા જઈ રહ્યું છે.

સર્બિયામાં સીએનબીજીએ વિકસાવેલી બે વૅક્સિનની ટ્રાયલ થશે. આ બંને રસી વુહાન અને બેઇજિંગના સીએનબીજી યુનિટમાં તૈયાર કરાઈ છે.

જ્યારે પાકિસ્તાનમાં બેઇજિંગ યુનિટની રસીની ટ્રાયલ કરાશે.

સીએનબીજીના ત્રીજા તબક્કાની ટ્રાયલમાં અંદાજે 10 દેશોના 50 હજાર લોકો સામેલ થશે, એવી શક્યતા છે.

યુએઈ, બહરીન, પેરુ, મોરક્કો, આર્જેન્ટિના અને જૉર્ડનમાં પહેલાંથી ટ્રાયલ શરૂ થઈ ગઈ છે.


ગુજરાત કોરોના અપડેટ : કુલ કેસ 1,03,006

કોરોના વાઇરસ

ન્યૂઝ એજન્સી PTI અનુસાર આરોગ્યવિભાગ દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં શનિવારે કોરોનાના 1311 નવા કેસો નોંધાતાં કુલ કેસોનો આંકડો 1,03,006 સુધી પહોંચી ગયો હતો.

શનિવારે કોરોનાને કારણે 16 દર્દીઓનાં મૃત્યુ થતાં રાજ્યનો કુલ મૃત્યુઆંક 3094 થઈ ગયો છે.


કોરોના અપડેટ : 12 સપ્ટેમ્બરથી 40 જોડ ટ્રેન ચાલશે

ભારતીય રેલવે બોર્ડના ચૅરમૅન વિનોદકુમાર યાદવે કહ્યું છે કે 12 સપ્ટેમ્બરથી 40 જોડ વિશેષ ટ્રેન ચલાવાશે.

તેમના મતે આ ટ્રેનોમાં સફર માટે સામાન્ય લોકો 10 સપ્ટેમ્બરથી રિઝર્વેશન કરાવી શકશે.

https://twitter.com/ANI/status/1302197348139892736


ભારતમાં 24 કલાકમાં કોરોનાથી 86 હજારથી વધુ કેસ, 1089 મૃત્યુ

કોરોના વાઇરસ

ભારતમાં પાછલા 24 કલાકમાં કોવિડ-19ના 86,432 નવા કેસ નોંધાયા છે. આ એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.

પાછલા ત્રણ દિવસોથી સતત 80 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે.

સ્વાસ્થ્યમંત્રાલય અનુસાર, અત્યાર સુધીમાં દેશમાં કુલ કેસની સંખ્યા 40 લાખ 23 હજાર 179 પહોંચી છે, જેમાંથી આઠ લાખ 46 હજાર 395 ઍક્ટિવ કેસ છે.

કોરોના સંક્રમણથી અત્યાર સુધીમાં સ્વસ્થ થઈ ગયેલા દર્દીઓની સંખ્યા 31 લાખ 07 હજાર 223 છે. ભારતમાં અત્યાર સુધીમાં આ બીમારીને કારણે 69,561 લોકોનાં મૃત્યુ થયાં છે. પાછલા 24 કલાકમાં 1089 મૃત્યુ નોંધાયા છે.


અમેરિકામાં મૃતકાંક બમણો થવાની આશંકા

અમેરિકામાં કોરોના વાઇરસ

શનિવાર, 5 સપ્ટેમ્બર, 2020, નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.


અમેરિકાની વૉશિંગ્ટન યુનિવર્સિટીની સ્વાસ્થ્ય સંસ્થામા પૂર્વાનુમાન અનુસાર અમેરિકામાં કોરોના વાઇરસને લીધે થઈ રહેલાં મોત વર્ષના અંત સુધીમાં ચાર લાખને પાર પહોંચી શકે છે.

આ આંક અમેરિકાના હાલના મૃતકાંક કરતાં બમણો છે.

આ અનુમાનમાં કહેવામાં આવ્યું છે કે ડિસેમ્બર મહિનામાં દેશમાં દરરોજ ત્રણ હજારથી વધારે મોત થઈ શકે છે.

સમાચાર એજન્સી રૉયટર્સ પ્રમાણે જો માસ્ક પહેરવાના નિયમને લોકો ગંભીરતાથી લે તો મૃતકોની સંખ્યાને 30 ટકા જેટલી ઘટાડી શકાય.

જોકે અમેરિકામાં એક મોટો વર્ગ માસ્ક પહેરવાનો વિરોધ કરી રહ્યો છે.

દરરોજ અમેરિકામાં સરેરાશ 850 લોકોનાં મૃત્યુ કોરોના વાઇરસને લીધે થઈ રહ્યાં છે.

( પહેલાંના અપડેટ્સ માટે અહીં ક્લિક કરો.)


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X