સૌર તોફાનના કારણે મહિના સુધી બંધ રહી શકે છે ઈન્ટરનેટ, વિશેષજ્ઞએ જાહેર કર્યો ચિંતાજનક રિપોર્ટ
વિશેષજ્ઞએ સૌર તોફાનને લઈને નવી ચેતવણી જાહેર કરી છે. જેના કારણે ઈન્ટરનેટ સેક્ટર પર બહુ ખરાબ અસર પડી શકે છે.
નવી દિલ્લીઃ પૃથ્વી પરનો માનવ જ્યારે સૂર્ય તરફ જુએ ત્યારે તે ખૂબ જ શાંત અને ચમકદાર દેખાય છે પરંતુ હકીકત આનાથી ઉલટી છે. સૂર્ય પર નાના-મોટા સૌર તોફાન આવતા રહે છે. ઘણી વાર આનો પ્રભાવ પૃથ્વી પર ઓછા-વત્તા અંશે થયા કરે છે. હવે વિશેષજ્ઞએ સૌર તોફાનને લઈને નવી ચેતવણી જાહેર કરી છે. જેના કારણે ઈન્ટરનેટ સેક્ટર પર બહુ ખરાબ અસર પડી શકે છે.

કોઈ મહાદ્વીપ સુરક્ષિત નથી
ટેક રડારના રિપોર્ટ અનુસાર મોટા સૌર તોફાન ઈન્ટરનેટ સેવાને લાંબા સમય સુધી ખરાબ કરી શકે છે. ત્યારબાદ એક મહિના સુધી લોકોનુ ઑનલાઈન આવી શકવુ અસંભવ થઈ જશે. શોધ મુજબ આ સૌર તોફાન એક દિવસથી પણ ઓછા સમયની નોટિસ સાથે પૃથ્વી પર વિનાશ લાવી શકે છે. આનાથી દુનિયાનો કોઈ પણ મહાદ્વીપ નહિ બચે. આને લઈને કેલિફૉર્નિયા વિશ્વવિદ્યાલયના આસિસન્ટ પ્રોફેસર સંગીતા અબ્દુ જ્યોતિએ ગયા મહિને થયેલા SIGCOMM 2021 સંમેલનમાં એક રિપોર્ટ પણ રજૂ કર્યો હતો.

સમુદ્રના કેબલ ખૂબ નબળા
રિપોર્ટ મુજબ દુનિયાભરમાં ઈન્ટરનેટની જાળ ફેલાવવા માટે સમુદ્રની અંદર કેબલ પાથરવામાં આવી છે. વાસ્તવમાં આ કેબલ્સ ખૂબ જ નબળા હોય છે. 1800-1900ની શરૂઆતમાં ઘણા બધા સૌર તોફાન પૃથ્વી સાથે ટકરાયા હતા. જો એ પ્રકારના તોફાન ફરીથી આવે તો તે કેબલને પ્રભાવિત કરશે. વળી, પોતાના પેપર 'સોલર સુપરસ્ટૉર્મઃ પ્લાનિંગ ફૉર એન ઈન્ટરનેટ એપોકેલિપ્સ યુ વાયર્ડ' વિશે બોલતા જ્યોતિએ કહ્યુ કે મહામારીના સમયે આપણે જોયુ કે દુનિયા તૈયાર નહોતી, તેણે મને આ વિચારવા પર મજબૂર કરી દીધી.

ઉપકરણોને ખરાબ કરી શકે છે આ તોફાન
આસિસટન્ટ પ્રોફેસર જ્યોતિના જણાવ્યામુજબ અત્યારે દુનિયાભરમાં ઈન્ટરનેટનો મૂળભૂત ઢાંચો મોટા સૌર તોફાનને સહન કરવા માટે તૈયાર નથી. આ ઉપરાંત આપણને એ વાતની પણ બહુ સીમિત સમજ છે કે નુકશાન કેટલુ થશે. સામાન્ય રીતે સૌર તોફાન માનવ માટે વધુ જોખમ પેદા નથી કરતા પરંતુ તે સેટેલાઈટ અને અન્ય ઉપકરણોને ખરાબ કરવાની ક્ષમતા ધરાવે છે. સાથે જ નિયમિત સૌર હવાઓ એક પૂર્ણ વિકસિત સૌર તોફાનમાં બદલાઈ જાય છે જેને કોરોનલ માસ ઈજેક્શન તરીકે માનવામાં આવે છે.

એક દિવસમાં 7 બિલિયન ડૉલરનુ થશે નુકશાન
જ્યોતિનુ માનવુ છે કે ફાઈબર ઑપ્ટિક કેબલના ઉપયોગના કારણે સ્થાનિક ઈન્ટરનેટના મૂળભૂત ઢાંચાને સૌર તોફાનથી ઘણી હદે બચાવી શકાશે. જો દુનિયાભરના ઈન્ટરનેટમાં અડચણ ઉભી થઈ તો તે અર્થવ્યવસ્થાને ગંભીર રીતે પ્રભાવિત કરશે. માત્ર અમેરિકાની જ વાત કરીએ તો ત્યાં ઈન્ટરનેટ બંધ થાય તો એક દિવસમાં 7 બિલિયન ડૉલરથી વધુનુ નુકશાન થશે.

આ છે બીજા વિશેષજ્ઞનુ મંતવ્ય
થોડા દિવસો પહેલા જ વન ઈન્ડિયા સાથે વાતચીતમાં પર્યાવરણવિદ, વરિષ્ઠ પત્રકાર અને જળવાયુ પરિવર્તનના રણનીતિક સંચાપક ડૉ. સીમા જાવેદે કહ્યુ હતુ કે સૂર્ય વાયુમંડળથી ઉત્પન્ન અને તોફાનનો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના પ્રભુત્વવાળા અંતરિક્ષ ક્ષેત્ર પર બહુ જ પ્રાસંગિક પ્રભાવ થઈ શકે છે. આ એક છેદ છે જે સૂર્યના વાતાવરણમાં ખુલી ગયુ છે જે તેજ ગતિવાળી સૌર હવાઓ અને આવેશિત કણેની એક ધારા બની રહ્યુ છે. જેનાથી ફોનને નુકશાન થઈ શકે છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
