Israel Hamas War : ઇઝરાયેલી હુમલામાં હમાસ ચીફ યાહ્યા સિનવાર ઠાર, જાણો કેટલો ખતરનાક હતો?
Yahya Sinwar Killing : હમાસ વિરૂદ્ધ સતત કાર્યવાહી કરી રહેલા ઇઝરાયેલને મોટી સફળતા મળી છે. ઇઝરાયેલી હુમલામાં હમાસ ચીફનું મોત થયુ છે.
સમાચારો અનુસાર, 17 ઓક્ટોબરે ઇઝરાયેલે દાવો કર્યો છે કે ગાઝામાં IDF ઓપરેશન દરમિયાન હમાસના ત્રણ આતંકીઓ માર્યા ગયા છે. આ આતંકીઓમાં હમાસનો ચીફ યાહ્યા સિનવાર પણ સામેલ છે.

ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ખુદ આ વાતની પુષ્ટિ કરી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, નેતન્યાહુએ ઈઝરાયેલના બંધકોના પરિવારજનોને સૂચના આપી છે કે હમાસ ચીફ યાહ્યા સિનવાર માર્યો ગયો છે.
આ પહેલા ઈઝરાયેલી સેનાએ માર્યા ગયેલા આતંકીઓની ઓળખ કરી રહી હતી. IDF એ સોશિયલ મીડિયા પર જણાવ્યુ કે, ગાઝામાં IDF ઓપરેશન દરમિયાન 3 આતંકવાદીઓ માર્યા ગયા. IDF અને ISA એ સંભાવનાની તપાસ કરી રહ્યા છે કે આતંકવાદીઓમાંથી એક યાહ્યા સિનવાર હતો. આ સમયે આતંકવાદીઓની ઓળખની પુષ્ટિ થઈ શકી નથી.
પોસ્ટમાં કહેવાયુ છે કે જે ઈમારતમાં આતંકવાદીઓ માર્યા ગયા તે ઈમારતમાં બંધકોની હાજરીના કોઈ નિશાન નહોતા. વિસ્તારમાં કાર્યરત દળો જરૂરી સાવચેતી સાથે કામ કરી રહ્યાં છે.
બીજી તરફ હમાસે ઇઝરાયેલના આ દાવાની કોઈ પૃષ્ટિ કરી નથી. હમાસ સાથે જોડાયેલી વેબસાઇટ અલ-મજદે કહ્યું છે કે તે જૂથમાંથી જ સિનવાર વિશેની માહિતીની રાહ જુએ.
ઇઝરાયેલના આર્મી રેડિયોએ જણાવ્યું કે, આ ઘટના દક્ષિણ ગાઝા પટ્ટીના રફાહ શહેરમાં ગ્રાઉન્ડ ઓપરેશન દરમિયાન બની, જેમાં ઇઝરાયલી સૈનિકોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા. તેમના મૃતદેહોને સાથે લવાયા છે.
વિઝ્યુઅલ એ પુરાવા સૂચવે છે કે એક માણસ સિનવાર હતો અને ડીએનએ પરીક્ષણો હાથ ધરવામાં આવી રહ્યા છે. ઇઝરાયેલ પાસે ઇઝરાયેલની જેલમાં વિતાવેલ સમયના સિનવારના ડીએનએ સેમ્પલ છે.
જણાવી દઈએ કે, ગયા વર્ષે 7 ઓક્ટોબરે યાહ્યા સિનવારના આદેશ પર હમાસના આતંકીઓએ ઈઝરાયેલમાં નરસંહાર કર્યો હતો. કોન્સર્ટમાં પ્રવેશ્યા પછી છોકરીઓ પર બળાત્કાર કરીને હત્યાઓ કરી હતી. તે ઘણી છોકરીઓને પોતાની સાથે લઈ ગયો હતો.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
