ગુજરાતની બે દીકરીઓ ઈઝરાયેલમાં હમાસના આતંકીઓને હંફાવી રહી છે, જાણો કોણ છે નિશા અને રિયા મુળિયાસિયા
Israel-Palastine Conflict: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે શનિવારથી શરૂ થયેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં 2,300 લોકોના મોત થયા છે. તેમાંથી લગભગ 1,200 ઇઝરાયેલી છે. વળી, લગભગ 1,100 પેલેસ્ટિનિયનોએ પણ જીવ ગુમાવ્યો છે.
આ ભીષણ સંઘર્ષ વચ્ચે, ગુજરાતી મૂળની બે મહિલાઓ હેડલાઇન્સમાં છે કારણ કે તેઓએ ઇઝરાયેલ આર્મીમાં ફરજ બજાવતા હમાસના આતંકવાદીઓ સામે શસ્ત્રો ઉપાડ્યા છે. ગુજરાતી મૂળની આ બંને મહિલાઓ ઈઝરાયેલ આર્મીમાં છે અને પોતાની જવાબદારીઓ નિભાવી રહી છે.

અહેવાલ મુજબ જીવાભાઈ મૂળિયાસિયા અને સવદાસભાઈ પિતરાઈ ભાઈઓ છે. આ મૂળીયાસિયા જૂનાગઢના માણાવદર તાલુકાના કોઠી ગામના રહેવાસી છે. ઘણા વર્ષો પહેલા તેનો પરિવાર ઈઝરાયેલમાં સ્થાયી થયો હતો. હવે તે ઈઝરાયેલની રાજધાની તેલ અવીવમાં કરિયાણાની દુકાન ચલાવે છે.
હવે તેમની દીકરીઓ નિશા મુળિયાસિયા અને રિયા મુળિયાસિયા ઈઝરાયેલની સેનામાં ફરજ બજાવે છે. જીવાભાઈએ જણાવ્યું કે તેમની પુત્રી ફરજિયાત લશ્કરી સેવા વ્યવસ્થા હેઠળ સેનામાં જોડાઈ છે. જીવાભાઈએ જણાવ્યું હતું કે ઈઝરાયેલની શિક્ષણ પદ્ધતિ બાળકોમાં નેતૃત્વના ગુણોને પ્રોત્સાહન આપે છે.
પોતાની દીકરી નિશા વિશે વાત કરતાં તેમણે કહ્યું, 'મારી દીકરી છેલ્લા બે વર્ષથી લેબનોન, સીરિયા, જૉર્ડન અને ઇજિપ્તની બોર્ડર પર પોસ્ટેડ છે. હાલમાં, તે ગુશ ડેનમાં તૈનાત છે, યુદ્ધભૂમિ જ્યાંથી ઇઝરાયેલી દળો ગાઝામાં હમાસ પર હુમલો કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે ઈઝરાયેલમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ રહે છે. તેઓ બિઝનેસ, શિક્ષણ અને રોજગાર જેવા વિવિધ કારણોસર ઈઝરાયેલ જાય છે. ઈઝરાયેલમાં એક નિયમ છે જેના હેઠળ દરેક વ્યક્તિએ, પછી તે પુરુષ હોય કે સ્ત્રી, ઓછામાં ઓછા 24થી 32 મહિના સુધી સેનામાં ફરજ બજાવવી પડે છે.
1,200ની વસ્તી ધરાવતા કોઠી ગામમાં રહેતા ભરતભાઈ મુળિયાસિયાએ જણાવ્યું હતું કે તેમના બે કાકાઓ જીવાભાઈ અને સવદાસભાઈ મૂળિયાસિયા 1989 અને 1996માં ઈઝરાયેલમાં સ્થળાંતર થઈ ગયા હતા. બંનેની એક-એક દીકરી છે જે ઈઝરાયેલ માટે લડી રહી છે.
તમને જણાવી દઈએ કે તેલ અવીવમાં ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, ઈઝરાયેલમાં 18,000 ભારતીયો રહે છે. ભારત સરકારે ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આની જાહેરાત કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારત સરકાર ઓપરેશન અજય હેઠળ ભારતીયોને પરત લાવશે. જેને પાછા આવવું હોય તે આવી શકે છે. ઑપરેશન અજય અંતર્ગત ભારતથી પ્રથમ ફ્લાઈટ આજે ઈઝરાયેલ માટે રવાના થશે.












Click it and Unblock the Notifications
