Israel new law : ઈઝરાયલે પસાર કર્યો નવો કાયદો, આતંકવાદીઓ પાસેથી નાગરિકતા છીનવી લેશે
દેશમાં એક નવો કાયદો પસાર કરવામાં આવ્યો છે, જે કાયદા મુજબ જો કોઈ વ્યક્તિ આતંકવાદી પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોય અને તેને દોષિત ઠેરવવામાં આવે, તો તેની નાગરિકતા સમાપ્ત થઈ જશે અને તેને દેશનિકાલ કરવામાં આવશે.
Israel new law : ઈઝરાયલે આતંકવાદ વિરુદ્ધ સતત કડક કાર્યવાહી કરી રહ્યું છે. આ વચ્ચે હવે તેણે આતંકવાદ સામે મોટો નિર્ણય લીધો છે. આ અંતર્ગત હવે જે પણ વ્યક્તિ આતંકવાદી પ્રવૃતિમાં સંડોવાયેલ હશે અને દોષિત ઠર્યા બાદ તેને સજા થશે, તો તેની નાગરિકતા જતી રહેશે. આવા લોકો સામે કડક કાર્યવાહી કરતા, ઇઝરાયેલમાં તેમની ઇઝરાયેલની નાગરિકતા રદ્દ કરવાનો કાયદો પસાર કરવામાં આવ્યો છે.

આ બિલની તરફેણમાં 94 વોટ પડ્યા હતા, જ્યારે તેની વિરુદ્ધમાં માત્ર 10 વોટ પડ્યા હતા. આ સાથે જ બિલ સંસદમાં પસાર થયું હતું. આ કાયદા બાદ આતંકવાદીઓને અથવા તો દેશમાંથી હાંકી કાઢવામાં આવશે (દેશનિકાલ) અથવા તો તેમને પૂર્વ જેરુસલેમ મોકલી દેવામાં આવશે.












Click it and Unblock the Notifications
