For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યૉર્જ બુશના એડવાઈઝરે ભારત માટે કરી મોટી ભવિષ્યવાણી

વ્હાઈટ હાઉસના પૂર્વ સલાહકારે ભારત વિશે એક મોટુ નિવદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ જ્યાં આખા દેશમાં વિપક્ષ અને અર્થ વિશેષજ્ઞ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવી રહ્યા છે ત્યાં વ્હાઈટ હાઉસના પૂર્વ સલાહકારે એક મોટુ નિવદન આપ્યુ છે. પૂર્વ રાષ્ટ્રપતિ રહેલા જ્યોર્જ ડબ્લ્યુ બુશના સમયે વ્હાઈટ હાઉસના સલાહકાર રહેલા ટૉડ બુચોલજે કહ્યુ કે ચીનની તુલનામાં ભારત કોરોના વાયરસના કારણે પેદા થયેલ સંકટમાંથી જલ્દી બહાર આવી જશે. તેમનુ કહેવુ છે કે ભારતની સ્થિતિ એવી નથી જેવી ચીનની છે. ટૉડે પોતાના આ નિવેદન પાછળ ભારતની વસ્તીને મોટુ કારણ ગણાવ્યુ છે.

todd

મોટી વસ્તી બનશે દેશના વિકાસનુ કારણ

બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં ટૉડ બુચોલજના હવાલાથી લખ્યુ છે, 'વિશાળ વસ્તી અને અહીં જનસંખ્યામાં રહેલી વિવિધતા ઉપરાંત સુધારાના કારણે દેશમાં ક્ષમતા છે કે તે આર્થિક નુકશાનને ફાયદામાં બદલી શકે છે.' તેમણે આગળ કહ્યુ, 'ચીન, જનસંખ્યાની મોટી દીવાલ સાથે જઈને ટકરાયુ છે અને ભારત એનો સામનો નથી કરી રહ્યુ. જે રોકાણકારો જાન્યુઆરી 2020 દરમિયાન ભારતમાં રોકાણ કરવાનુ વિચારી રહ્યા હતા તે હવે 2021માં રોકાણ માટે તૈયાર છે. તેમણે કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અત્યારે દુનિયાભરના રોકાણકારો મનપસંદ વ્યક્તિ તરીકે જુએ છે અને એવુ માનવામાં આવે છે કે મહામારી નબળી પડ્યા બાદ મોટાપાયે રોકાણકારો દેશ માટે આકર્ષિત થશે.' બુચોલજે બ્લૂમબર્ગને એક ખાસ ઈન્ટવ્યુ આપ્યો છે અને આ વાતો કહી છે.

રોકાણકારોને ભારતમાં દેખાય છે ફાયદા

ટૉડે કહ્યુ છે કે ભારતની વસ્તી 130 કરોડ છે અને વર્ષ 2027માં દેશ વસ્તી બાબતે ચીનથી પણ આગળ નીકળી જશે. એવામાં આ મોટી વસ્તી અમેરિકા અને બીજા પશ્ચિમી દેશો માટે મોટા મોકા લઈને આવે છે. આ દેશોની નિર્ભરતા પણ ટ્રેડ ટેન્શન વધવા સાથે એશિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં વિવિધતાવાળી છે. આ તરફ ભારત વધુને વધુ રોકાણકારોને આકર્ષિત કરવાની ક્ષમતા ધરાવે છે. તેમણે સરકાર તરફથીએ પહેલનો પણ ઉલ્લેખ કર્યો છે ત્યારબાદ સરકાર તરફથી અહીં બિઝનેસ શરૂ કરવા પર વેપારીઓને આર્થિક ફાયદા આપવામાં આવશે. તેમણે કહ્યુ કે અમેરિકા માટે ભારતનુ મહત્વ ઘણુ વધુ છે ખાસ કરીને ચીનના વધતા પ્રભાવને ઘટાડવા માટે.

અમેરિકામાં ન્યૂયોર્કમાં ગોળીબાર, 12થી વધુ લોકોને વાગી ગોળી, 2ના મોતઅમેરિકામાં ન્યૂયોર્કમાં ગોળીબાર, 12થી વધુ લોકોને વાગી ગોળી, 2ના મોત

English summary
Large population reforms to help India overcome Coronavirus woes says Former White House advisor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X