મલાલાને વીરતા પુરસ્કારથી સન્માનિત કરાઇ

મલાલા યૂસૂફજઇને આ પુરસ્કાર ગત રાત્રે હાઉસ ઑફ લોર્ડસના ચોલમંડલ રૂમમાં 'વર્લ્ડ પીસ એન્ડ પ્રોસ્પેરિટી ફાઉન્ડેશન'ના અધ્યક્ષ પ્રિન્સ અલી ખાને પ્રદાન કર્યો હતો. મલાલા યૂસૂફજઇ તરફથી આ પુરસ્કાર બ્રિટનમાં પાકિસ્તાનના એસ ઝુલ્ફિકાર ગરદેજીએ ગ્રહણ કર્યો હતો.
તેમને કહ્યું હતું કે આ પુરસ્કાર મલાલા યૂસૂફજઇને અથવા તેના પરિવારજનોને ગ્રહણ કરવો જોઇતો હતો. તેમની ગેરહાજરીમાં આ પુરસ્કાર ગ્રહણ કરીને હું મલાલા યૂસૂફજઇ સુધી પહોંચીશ. તાબિલાનીઓ દ્રારા કરવામાં આવેલા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલી મલાલા યૂસૂફજઇની સારવાર બ્રિટનની એક હોસ્પિટલમાં થઇ રહી છે. તેને 15 ઑક્ટોબરના રોજ વિમાન દ્રારા બર્મિધમ સ્થિત ક્વીન એલિઝાબેથ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.
વીરતા પુરસ્કારથી સન્માનિત થનારા અન્ય લોકોમં એક પ્રખ્યાત બ્રિટિશ મુસ્લિમ મનોવિજ્ઞાની, તુર્કીના એક પ્રખ્યાત શિક્ષાવિદ તથા સાંસદ, અને એકનો છોકરો જોશ અલ્તમાન વગેરેનો સમાવેશ થાય છે. 'વર્લ્ડ પીસ એન્ડ પ્રોસ્પેરિટી ફાઉન્ડેશન'ના સંસ્થાપલ અધ્યક્ષ પ્રિન્સ અલી ખાને કહ્યું હતું કે ફાઉન્ડેશનનો ઉદ્દેશ્ય વિશ્વ શાંતિ તથા સમૃદ્ધિને આગળ વધારવાનો તથા જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ઉલ્લેખનીય કાર્ય કરવા બદલ આપવામાં આવે છે.












Click it and Unblock the Notifications
