નરેન્દ્ર મોદી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે: ચીની અખબાર

Google Oneindia Gujarati News

બીઇજીંગ, 15 મે: લોકસભાની ચૂંટણી પહેલા અને બાદ પણ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને દેશના હવે પછીના વડાપ્રધાન તરીકે જ જોવામાં આવી રહ્યા છે. દેશની વિવિધ ન્યૂઝ ચેનલોએ પણ પોતાના એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વમાં એનડીએને સ્પષ્ટ બહુમતી આપી છે. પરંતુ નરેન્દ્ર મોદીના પગરણથી પાડોશી દેશોની હવા ટાઇટ હોય તેવું જણાઇ રહ્યું છે.

એક ચીની અખબારે જણાવ્યું છે કે ચીનની સાથે આર્થિક સંબંધોમાં ફ્લેક્સીબલ રહેશે પરંતુ નવી સમસ્યાઓ પણ ઊભી કરી શકે છે. ગ્લોબલ ટાઇમ્સ અનુસાર, વિશ્લેષકોના મત છે કે ચીનને લઇને મોદી રાજનૈતિક વિવાદો પર કડક વલણ અખત્યાર કરશે, પરંતુ આર્થિક નીતિ પર ઉદાર વલણ અપનાવશે.

modi
લેખમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રી મોદી વ્યવસાયીક સમર્થકના રૂપમાં ઓળખાય છે. તેઓ ચીની રોકાણકારોને આકર્ષિત કરવામાં માટે ચાર વાર ચીન યાત્રા કરી ચૂક્યા છે. 'ધ ઇકોનોમિસ્ટ'ના 2011ના અંકમાં ગુજરાતને ભારતનું ગુઆંગડોંગ માનવામાં આવ્યું હતું, કારણ કે દેશની પાંચ ટકા વસ્તીવાળા આ રાજ્યનું ઔદ્યોગિક યોગદાન 16 ટકા અને નિકાસ યોગદાન 22 ટકા રહ્યું છે. વ્યાપરમાં શાનદાર આશા જતાવનાર આ લેખમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ચીનની તરફ મોદી રાજનૈતિક રીતે કઠોરતાથી વરતી શકે છે.

લેખમાં કહેવામાં આવ્યું છે કે અનુસંધાનકર્તા હુ જિયોંગનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીનું ચીન પ્રત્યે પહેલાથી જ કડક વલણ રહ્યું છે આ વાતમાં કોઇ શંકા નથી કે મોદી પાર્ટીના વિચારો પર જ કાયમ રહેશે. તેઓ બીઇજીંગ પ્રત્યે વલણ અપનાવી શકે છે અને ચીનની સાથે સોદાબાજીમાં સીમા વિવાદ, તિબ્બતનો સવાલ અને દલાઇ લામાનો ઉપયોગ કરી શકે છે.

English summary
The experts suggested that while Modi could pursue a “more flexible” economic policy toward China, he may follow a tougher line on the border dispute, Tibet and the Dalai Lama.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X