મુસ્લિમ બહુમતિવાળા ઇન્ડોનેશિયાએ અમેરિકાને આપી સરસ્વતીની પ્રતિમા
ઇન્ડોનેશિયામાં કુલ આબાદીમાં હિન્દુઓની સંખ્યા માત્ર ત્રણ ટકા છે. વ્હાઇટ હાઉસથી લગભગ એક માઇલની દૂરી પર લગાવવામાં આવેલી આ મૂર્તિને આધિકારિક રીતે લોકાર્પણ કરવાનું બાકી છે, પરંતુ આ પહેલા જ શહેરના લોકો અને અહી આવનારા પર્યટકોનું આકર્ષણનું કેન્દ્ર બનેલી છે.
ઇન્ડોનેશિયન દૂતાવાસના એક પ્રવક્તાએ કહ્યું કે, સરસ્વતી હિન્દુઓના દેવી છે. ઇન્ડોનેશિયાના બાલીમાં મુખ્ય રીતે આ ઘર્મના લોકો રહે છે અને ઇન્ડોનેશિયા વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ આબાદીવાળો દેશ છે. સરસ્વતીની મૂર્તિની પસંદગી કોઇ ધાર્મિક આધાર પર નહીં પરંતુ તેની પસંદગી પ્રતિકાત્મક મૂલ્યો પર કરવામાં આવ્યું, જે વ્યાપક સહયોગ હેઠળ ઇન્ડોનેશિયા-અમેરિકાના સંબંધ, ખાસ કરીને શિક્ષા અને લોકો વચ્ચે સંપર્કના સમાંતર છે.
વોશિંગટન ડીસીને આપવામાં આવેલી આ સાંસ્કૃતિક ભેટના નિર્માણનું કામ આ વર્ષે મધ્ય એપ્રિલમાં શરૂ કરવામાં આવ્યું હતુ અને માત્ર પાંચ સપ્તાહમાં પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. 4.9 મીટર ઉંચી આ મૂર્તિનુ નિર્માણ બાલીના પાંચ મૂર્તિકારોએ કર્યું છે, જેનું નેતૃત્વ આઇ ન્યોમન સુદર્વ નામના મુર્તિકારે કર્યું છે.