શું મોદીએ રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું? કેમ શેફ વિકાસથી તિરંગો લેવાયો?
ન્યૂયોર્કમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોર્ચ્યૂન 500ની કંપનીના સીઇઓ એક ભવ્ય ડિનર આપ્યું હતું. આ ડિનર ભારતના જાણીતા શેફ વિકાસ ખન્નાએ બનાવ્યું હતું. જો કે ડિનર બાદ વિકાસે મોદી સાથે મુલાકાત પણ કરી હતી. અને વિકાસની ઇચ્છાના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને ભારતના રાષ્ટ્રધ્વજ પર ઓટોગ્રાફ પર કરી આપ્યા હતા.
ત્યારે પ્રાપ્ત થતી માહિતી મુજબ શેફ વિકાસ ખન્ના પાસેથી આ બાદ તે રાષ્ટ્રધ્વજ પીએમઓ અધિકારીઓએ લઇ લીધો હતો. વિકાસ ખન્ના મોદીનો ઓટોગ્રાફ કરેલો રાષ્ટ્રધ્વજ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને આપવાના હતા તેવી ચર્ચા હતી.
જો કે તે પહેલા વિકાસ મોદીના હસ્તાક્ષર વાળા રાષ્ટ્રધ્વજનો ફોટો સોશ્યલ મીડિયા પર મૂક્યો હતો. ત્યારે જાણકારોના મત મુજબ અમેન્ડમેન્ટ એક્ટ હેઠળ રાષ્ટ્રધ્વજ પર કોઇ પણ પ્રકારનું લખાણ, વિવરણ કે ઓટોગ્રાફ આપવો રાષ્ટ્રધ્વજનું અપમાન છે. તો શું ખરેખરમાં મોદી જેવા વડાપ્રધાન પદના અધિકારી દ્વારા આવી ભૂલ થઇ છે?
ત્યારે શું છે આખો મામલો અને જાણીતા શેફ વિકાસ ખન્નાએ મોદી મોટી કેવી રીતના પકવાન બનાવ્યા અને મોદીએ તે મામલે વિકાસના શું વખાણ કર્યા તે જાણો નીચેના આ આર્ટીકલમાં. અને જુઓ વિકાસના આ ડિનરની તસવીરો...

જાણીતા શેફ વિકાસે બનાવ્યું ભોજ
ન્યૂયોર્કમાં ફોર્ચ્યૂન 500ની કંપનીના સીઇઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માનમાં એક ભવ્ય ડિનર આપ્યું હતું જેને જાણીતા ભારતીય શેફ વિકાસ ખન્નાએ બનાવ્યું હતું.

મોદીએ કર્યા વખાણ
જો કે ગુજરાતી ખાંડવી ખાઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ જ ખુશ થઇ ગયા હતા અને તેમણે વિકાસને બોલાવીને કહ્યું તમે તો મારું માથુ ગર્વથી ઊંચુ કરી દીધું.
|
વિકાસે તિરંગો પર ઓટોગ્રાફની માંગ કરી
જે બાદ વિકાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાષ્ટ્રધ્વજ પર એટ્રોગ્રાફ આપવાની માંગણી કરી. તેમણે જણાવ્યું કે તે આ રાષ્ટ્રધ્વજ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને આપવા માંગે છે. મોદી પણ હસી ખુશી તેમને રાષ્ટ્રધ્વજ પર ઓટોગ્રાફ આપ્યો.
|
વિકાસનું ટ્વિટ
મોદી દ્વારા પોતાના ભોજનના થયેલા વખાણ સાંભળીને અને તેમનાથી આ ભેટ મેળવીને વિકાસ ખુબ જ ખુશ થઇ ગયા હતા અને તેમણે પોતાના અકાઉન્ટમાં આ ફોટો પણ મૂક્યો હતો.

રાષ્ટ્રધ્વજના અપમાનનો વિવાદ
જો કે જાણકારોના કહેવા મુજબ સંવિધાનમાં તેવું કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રધ્વજ પર કોઇ પણ પ્રકારનું લખાણ લખવું તે રાષ્ટ્રધ્વજનું અપમાન છે. જો કે તે બાબતે વડાપ્રધાન પર કોઇ કેસ નહીં થાય પણ તેમના પદની ગરિમાને જોતા તેમનું આ કાર્ય જાણકારોએ અનિચ્છનીય જણાવ્યું છે.

વિકાસથી તિરંગો લેવાયો
જો કે જે બાદ થોડાક પળોમાં શેફ વિકાસ ખન્નાથી આ તિરંગો પીએમઓના સ્ટાફે પાછો લઇ લીધો હતો.
|
વિકાસે શું કહ્યું
જો કે શેફ વિકાસ ખન્નાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ભોજ બનાવવા અંગે પોતાની ખુશી વ્યક્ત કરી હતી. સોશ્યલ મીડિયા પર વિકાસે જણાવ્યું હતું કે વિકાસે રસોઇ પહેલા તેમની માતાને ફોન કરી તેમના આશીર્વાદ પણ લીધા હતા.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
