નવાઝ શરીફ ભારતની પોતાની મુલાકાત અંગે નાખુશ
ઇસ્લામાબાદ, 6 જૂન : એક તરફ ભારતના નવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સાર્કના બધા જ અગ્રણી રાજકારણીઓને નિમંત્રણ આપવા માટે વાહવાહી થઇ રહી છે, ત્યારે બીજી તરફ પાકિસ્તાનથી જે સમાચાર આવ્યા છે તે ભારત માટે નિરાશાજનક છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવાના સિલસિલામાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફની યાત્રા જે રીતે જોવામાં આવી રહી છે તેને લઇને નવાઝ શરીખ ખાસ ખુશ જોવા મળી રહ્યા નથી.
પાકિસ્તાનની સત્તારૂઢ પીએમએલ-એનના એક વરિષ્ઠ સભ્યએ પાકિસ્તાનના નેશનલ ડેઇલી ડૉન ન્યુઝને જણાવ્યું છે કે બંને વડાપ્રધાનનોની પરસ્પરની બેઠક બાદ જ્યારે તેમની સંયુક્ત પત્રકાર પરિષદ યોજવામાં આવી નહીં ત્યારે નવાઝ શરીફને પોતાને ઓછા આંકવામાં આવ્યા હોય તેવો અહેસાસ થયો હતો.

સમાચાર પત્રના જણાવ્યા અનુસાર આ ઘટના ઉપરાંત નવાઝ શરીફનું પ્રતિનિધિમંડળ એક સંયુક્ત નિવેદનની આશા રાખી રહ્યું હતું. આવું કોઇ નિવેદન રજૂ કરવામાં આવ્યું નહીં. ઉલટાનું ભારતે એકતરફી નિવેદન જાહેર કર્યું હતું. જેમાં પાકિસ્તાનનું વલણ શું છે તે અંગેની કોઇ પણ વિગતો આપવામાં આવી ન હતી.
નવાઝ શરીફની પાર્ટીના નેતાએ સમાચાર પત્રને એમ પણ જણાવ્યું કે 'શરીફ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવાના સંદર્ભમાં પોતાની યાત્રા દરમિયાન ભારતમાં ભેટ મુલાકાતની રીત રસમથી ખાસ ખુશ નથી.' પીએમએલ-એનના એક વરિષ્ઠ નેતાએ એમ પણ જણાવ્યું કે શરીફની ભારત મુલાકાતને ખાસ મહત્વ આપવામાં આવ્યું ન હતું. તેમની ઉપસ્થિતિને યોગ્ય રીતે સ્વીકાર કરવામાં આવી ન હતી.
તેમણે દાવો કર્યો કે ભારતની નિરાશાજનક અને અપુરતી પ્રેસ રીલિઝને કારણે શરીફે પોતાની પત્રકાર પરિષદ યોજવા માટે મજબૂર કર્યા હતા. આ પરિષદમાં તેમણે અત્યંત સાવધાનીપૂર્વક પોતાનું નિવેદન વાંચ્યું જેથી મુલાકાતમાં જે પરિણામ પ્રાપ્ત થયું છે તે વ્યર્થ ના થાય.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી










Click it and Unblock the Notifications
