નેપાળમાં હિંસા: નેપાળમાં ફરી કેમ ભડકી હિંસા? કર્ફ્યુ લાદવો પડ્યો, ભારત સરહદ સંપૂર્ણપણે સીલ
પાડોશી દેશ નેપાળ ફરી એકવાર સાંપ્રદાયિક હિંસા અને અશાંતિની આગમાં સપડાયું છે. સોશિયલ મીડિયા પર એક વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયા બાદ શરૂ થયેલો તણાવ દક્ષિણ નેપાળના પર્સા અને ધનુષા જિલ્લામાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો છે. મસ્જિદોમાં તોડફોડ અને ધાર્મિક ગ્રંથોના અપમાનના અહેવાલોએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે, જેના પગલે બીરગંજ જેવા મુખ્ય વ્યાપારી શહેરોમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે.

આ હિંસાની સીધી અસર ભારત-નેપાળ સરહદ પર પણ જોવા મળી રહી છે, જ્યાં અનેક બોર્ડર પોઈન્ટ સીલ કરી દેવામાં આવ્યા છે અને સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે.
વિવાદ કેવી રીતે શરૂ થયો?
નેપાળના ધનુષા જિલ્લાની કમલા નગરપાલિકાથી શરૂ થયેલો આ વિવાદ જોતજોતામાં સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગયો હતો. મસ્જિદમાં તોડફોડ અને પવિત્ર ગ્રંથ સળગાવવાના સમાચાર આવતા મુસ્લિમ સમુદાય રસ્તા પર ઉતરી આવ્યો હતો. બીજી તરફ, હિન્દુ સંગઠનોએ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણીનો આરોપ લગાવી વળતો વિરોધ પ્રદર્શન કર્યું હતું. બંને પક્ષો વચ્ચે પથ્થરમારો અને આગજનીની ઘટનાઓ બાદ સ્થિતિ કાબૂમાં લેવા માટે ભારે પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે.
ભારત-નેપાળ સરહદ સીલ અને SSB એલર્ટ
તણાવપૂર્ણ સ્થિતિને જોતા પ્રશાસને ભારત-નેપાળ સરહદને સંપૂર્ણપણે સીલ કરી દીધી છે. મૈત્રી પુલ સહિતના તમામ મુખ્ય બોર્ડર પોઈન્ટ પર અવરજવર અટકાવી દેવામાં આવી છે. સીમા સુરક્ષા બળ (SSB) એ વધારાની ટુકડીઓ તૈનાત કરી છે અને સહદેવા, મહદેવા જેવા વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દીધું છે. નેપાળની અશાંતિની અસર ભારતીય સરહદી વિસ્તારોમાં ન ફેલાય તે માટે ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
બીરગંજમાં કર્ફ્યુ
નેપાળના વ્યાપારી કેન્દ્ર બીરગંજમાં સ્થિતિ કાબૂ બહાર જતાં પ્રશાસને અનિશ્ચિતકાળ માટે કર્ફ્યુ લાદી દીધો છે. ભીડને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો હતો. આ અથડામણમાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. શહેરની તમામ દુકાનો, બજારો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે.
ભારતીય મજૂરોનું સ્થળાંતર
નેપાળમાં ચાલી રહેલી આ હિંસાને કારણે ત્યાં કામ કરતા હજારો ભારતીય કામદારોમાં ચિંતા વધી ગઈ છે. સુરક્ષાના અભાવે અને કામધંધા બંધ થવાને કારણે ભારતીય મજૂરો પાછા પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. પરત ફરી રહેલા નાગરિકોનું કહેવું છે કે બીરગંજ અને આસપાસના વિસ્તારોમાં દહેશતનો એવો માહોલ છે કે ત્યાં રોકાવું જોખમી છે.
શાંતિની અપીલ
નેપાળ સરકાર અને સ્થાનિક પ્રશાસને બંને સમુદાયોને શાંતિ જાળવવા અને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા પર નફરત ફેલાવનારા અને ધાર્મિક સ્થળોને નુકસાન પહોંચાડનારા તત્વોની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે.
-
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11










Click it and Unblock the Notifications
