નીતિશ કુમારે પાક.માં ઝીણાની મજાર પર ચડાવી ચાદર
કુમારે પત્રકારોને જણાવ્યું કે 'મારો વિચાર છે કે ભારત અને પાકિસ્તાને એકબીજાની સાથે મળીને કામ કરવાની અને શાંતિપૂર્ણ રીતે રહેવાની જરૂરિયાત છે. આવું કરવાથી બંને દેશોનો વિકાસ સુનિચ્છિત થશે. ગઇકાલે એક અઠવાડિયા માટે પાકિસ્તાનના પ્રવાસે આવેલા કુમારે જણાવ્યું કે પોતાની આ સદભાવના યાત્રા દરમિયાન તેઓ બિહારમાં કરેલા વિકાસની ગાથા કહેશે.'
સિંધના મુખ્યમંત્રીએ જણાવ્યું કે 'બંને દેશોની વચ્ચે ઘણી સમાનતા છે અને બંને દેશ વચ્ચે સારા સંબંધ સ્થપાય એ સ્વાભાવિક છે. તેમણે જણાવ્યું કે અમારી સંસ્કૃતિ અને પરંપરાઓમાં ઘણી સમાનતા છે અને આપણે એને યથાવત રાખવાની જરૂરિયાત છે.'
તેમણે જણાવ્યું હતું કે 'મેં નીતિશ કુમારને મારા પ્રદેશની મુલાકાત કરવાનો આગ્રહ કર્યો હતો કારણ કે મને લાગે છે કે આ પ્રકારની મુલાકાત થકી બંને દેશોની વચ્ચે સહયોગ વધારી શકાશે. કુમાર પોતાના પ્રવાસ દરમિયાન લાહોર અને ઇસ્લામાબાદ પણ જશે.'