નાગરિકતાના કાયદાનો વિરોધ કરવા બદલ નોર્વેની મહિલાને ભારત છોડવાનો આદેશ

નોર્વેની એક મહિલા ટૂરિસ્ટને નાગરિકત્વના કાયદાના વિરોધમાં જોડાવા બદલ ભારત છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે.

નોર્વેની એક મહિલા ટૂરિસ્ટને નાગરિકત્વના કાયદાના વિરોધમાં જોડાવા બદલ ભારત છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. 23 ડિસેમ્બરના રોજ નાગરિકતા કાયદાની વિરુધ્ધ થયેલ વિરોધ પ્રદર્શનમાં નોર્વેની મહિલા જેન મેટ જોહ્ન્સનને કથિત રીતે ભાગ લીધો હતો. જે બાદ તે ઇમિગ્રેશન બ્યુરોની તપાસ હેઠળ આવી અને તેને પાછો તેના દેશમાં જવા માટે કહેવામાં આવ્યું છે.

CAA

મળતી માહિતી મુજબ જોહ્નસન ટૂરિસ્ટ વિઝા પર ભારત આવ્યો હતો. 23 ડિસેમ્બરે, તે નાગરિકત્વ કાયદાની વિરુદ્ધ કેરળમાં એક પ્રદર્શન સામેલ થઈ હતી. જે પછી કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ વિદેશી પ્રાદેશિક નોંધણી કચેરી (એફઆરઆરઓ) દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી. તેની પૂછપરછ કોચીમાં કરવામાં આવી હતી અને વિઝા નિયમોના ઉલ્લંઘન બદલ પરત ફરવાનું કહેવામાં આવ્યું હતું.

નાગરિકત્વના કાયદાના વિરોધમાં વિદેશીને દેશ છોડવાનો આદેશ અપાયો હોવાનો આ બીજો કેસ છે. આ અઠવાડિયે સોમવારે આઈઆઈટી મદ્રાસમાં ભણતા એક જર્મન વિદ્યાર્થીને પરત મોકલવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીએ ચેન્નાઇમાં નાગરિકત્વ કાયદાની વિરુદ્ધ એક પ્રદર્શનમાં પોસ્ટર લહેરાવ્યા હતા.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં સંસદ દ્વારા નાગરિકતા સુધારો કાયદો પસાર કરવામાં આવ્યો છે. કાયદામાં હિન્દુ, જૈન, શીખ, બૌદ્ધ, પારસી અને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના ખ્રિસ્તી સમુદાયોના શરણાર્થીઓને નાગરિકત્વ આપવાની દરખાસ્ત છે. કોંગ્રેસ અને અનેક સામાજિક સંસ્થાઓ સહિતના મોટાભાગના વિપક્ષી પાર્ટીઓ આ બિલનો વિરોધ કરી રહ્યા છે. દેશભરની મોટી યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ પણ તેની સામે રસ્તાઓ પર છે. તેની વિરુદ્ધ દેખાવોમાં ઓછામાં ઓછા 20 લોકોનાં મોત નીપજ્યાં છે.

આ પણ વાંચો: CAA: સંપત્તિને નુકશાન પહોંચાડ્યુ તો ભરવો પડશે આટલો દંડ, યુપીમાં હાઈ એલર્ટ, ઠેર ઠેર ફ્લેગ માર્ચ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X