Chandrayaan 3: પાકિસ્તાનના પૂર્વ મંત્રીએ ચંદ્રાયન 3 ને લઇને આપ્યુ નિવેદન, લોકોને નથી થઇ રહ્યો વિશ્વાસ
ભારત આજે મોટી ઉપલબ્ધી મેળવવા તરફ આગળ વધી રહ્યો છે. આજે ચાંદ પર ચંદ્રાયન 3ની સોફ્ટ લેન્ડિગ થશે. દુનિયાભરના લોકોની નજર આ લેન્ડિગ પર હશે. પરતુ આ વચ્ચે હમેશ ભારત વિરુદ્ધ કરનાર પાકિસ્તાન તરફથી ચંદ્રાયનને લઇને નિવેદન આવ્યુ છે.

પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીએ ભારતને ચંદ્રાયન 3 મિશનને લઇને શુભકામના આપી છે. તેમણે ભારતને શુભકામનાની સાથે સાથે ચંદ્રાયન મૂન લેન્ડિગનું સીધુ પ્રસારણ પાકિસતાનમાં પણ કરવુ જોઇએ.
ફવાદ ચૌધરીએ ટ્વીટર પર લખ્યુ પાકિસ્તાનની મીડિયાએ ચંદ્રમાં પર ચંદ્રાયનની લેન્ડિગનું સીધુ પ્રસારણ કરવુ જોઇએ. આ માનવ જાતિનો ઐતિહાસક પલ થવાનો છે. ભારતના લોકોને ત્યાં વૈજ્ઞાનિક અને અંતરીક્ષ સમુદાયને આ ઉપલબ્ધી માટે શુભકામના પાઠવુ છુ.
જેવી રીતે ફવાદ ચૌધરીએ ચંદ્રાયનને લઇને નિવેદન આપ્ય છે. તેના પર લોકો પોતાની પ્રતિક્રિયા આપે છે. લોકોને વિશ્વાસ નથી થઇ રહ્યો કે, આખરે કેવી રીતે ફવાદ ચૌધરી ભારતના પક્ષમાં આ પ્રકારનું નિવેદન કેમ કરી રહ્યો છે. તે હમેશા ભારતની વિરુદ્ધ હમેશા નિવેદન આપતો હોય છે.
ચંદ્રાયન 3 માટે આજનો દિવસ ખાસ છે. કેમ કે, આઝે સાંજે ચંદ્રમા પર સોફ્ટ લન્ડિગ કરવા જઇ રહ્યુ છે. જો ભારત લેન્ડ સફળ સોફ્ટ લેન્ડિગ કરવામાં સફળ થાય છે તો તે આવુ કરનાર દુનિયાનો ચોથો દેશ બની જશે. આ પહેલા અમેરિકા, રુસ ચીન આ ઉપલબ્ધી મેળવી ચૂક્યા છે.












Click it and Unblock the Notifications
