Pakistan : ઈમરાન ખાનના ઘરમાં 40 જેટલા આતંકીઓ છુપાયા હોવાનો દાવો, પોલીસે વિસ્તારને ઘેર્યો
પાકિસ્તાનના હાલ નાટકીય ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે. ઈમરાન ખાનની ધરપકડ બાદ સતત હાઈપ્રોફાઈલ ડ્રામાં સર્જાઈ રહ્યો છે. હવે પોલીસે ઈમરાન ખાનના ઘર આસપાસના વિસ્તારને કોર્ડન કરી લીધો છે. દાવો કરાઈ રહ્યો છે કે ઈમરાન ખાનના ઘરમાં આતંકીઓ છુપાયા છે.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ બાદ પણ મુશ્કેલીઓ ઓછી નથી થઈ. હવે પાકિસ્તાનના પંજાબની સ્થાનિક સરકારે દાવો કર્યો છે કે લાહોરમાં ઈમરાન ખાનના ઘરમાં આતંકવાદીઓ છુપાયા છે.

પંજાબ સરકાર આશંકા છે કે ઈમરાન ખાનના ઘરમાં ઓછામાં ઓછા 30 થી 40 આતંકવાદીઓએ આશ્રય લીધો છે. પોલીસે હાલ આ વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
પં.જાબ સરકારેને આશંકા છે કે લાહોરના જમાન પાર્કમાં આવેલા પૂર્વ પીએમ ઈમરાન ખાનના ઘરમાં 30-40 આતંકવાદીઓ છુપાયા છે. હાલ સરકારે આતંકવાદીઓને પોલીસને સોંપવા માટે 24 કલાકનો સમય પણ આપ્યો છે. એક્ટિંગ ઇન્ફોર્મેશન મિનિસ્ટર આમિર મીરના જણાવ્યા અનુસાર, ગુપ્તચર અહેવાલોથી જાણવા મળ્યું છે કે ઇમરાન ખાનના ઘરે આતંકવાદીઓ છે.
આમિર મીરે લાહોરમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, પીટીઆઈએ આ આતંકવાદીઓને પોલીસને સોંપી દેવા જોઈએ નહીં તો કાયદો પોતાની રીતે કામ કરશે. તેમણે ગુપ્તચર અહેવાલને ટાંકીને કહ્યું કે, સરકારને આ આતંકવાદીઓની હાજરીની જાણ હતી.
અહીં તેમણે દાવો કર્યો કે, આ આતંકવાદી ખતરનાક છે. ગુપ્તચર એજન્સીઓએ જિયો-ફેન્સિંગ દ્વારા લોહારના જમાન પાર્કમાં આતંકવાદીઓ હોવાની પુષ્ટિ કરી છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, 9 મેના રોજ પાકિસ્તાનમાં ઈમરાન ખાનની ધરપકડ બાદ વડાપ્રધાન શહેબાઝ શરીફની અધ્યક્ષતામાં મળેલી રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠકમાં હુમલાખોરો અને તેમના મદદગારો સામે કાર્યવાહી કરવાનો આદેશ કરાયો હતો. આ હિંસા ઈમરાન ખાનની ધરપકડ બાદ થઈ હતી.












Click it and Unblock the Notifications
