ભારત સામે યુદ્ધ થયું તો પાકિસ્તાન હારી જશે: ઇમરાન ખાન
પાકિસ્તાનની નબળી સ્થિતિ હોવા છતાં, પીએમ ઇમરાન ખાન ભારત વિરુદ્ધ સતત નિવેદનબાજી કરી રહ્યા છે, જોકે તે પણ પોતાના દેશની વાસ્તવિકતાને જાણે છે
પાકિસ્તાનની નબળી સ્થિતિ હોવા છતાં, પીએમ ઇમરાન ખાન ભારત વિરુદ્ધ સતત નિવેદનબાજી કરી રહ્યા છે, જોકે તે પણ પોતાના દેશની વાસ્તવિકતાને જાણે છે અને આ કારણોસર તેણે પોતાના છેલ્લા નિવેદનમાં કબૂલ્યું છે કે ભારત સાથેના પરંપરાગત યુદ્ધમાં પાકિસ્તાન હારશે.

ભારત સામે યુદ્ધ થયું તો પાકિસ્તાન હારી જશે
જોકે, પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને ફરી એકવાર પરમાણુ હુમલાની ધમકી આપી છે, પરંતુ તેઓએ એવું પણ માન્યું હતું કે ભારત સાથે પરંપરાગત યુદ્ધ પરમાણુ હુમલા સુધી જશે પરંતુ પાકિસ્તાન ભારત સામે હારી શકે છે એટલું તેના પરિણામ ભયંકર હોય શકે છે.

પાકિસ્તાન ક્યારેય પણ પરમાણુ યુદ્ધ શરુ નહીં કરે
અલ જાઝિરાને આપેલા ઇન્ટરવ્યુમાં ઇમરાને કહ્યું હતું કે પાકિસ્તાન ક્યારેય પણ પરમાણુ યુદ્ધ શરૂ કરશે નહીં. હું શાંતિવાદી અને યુદ્ધનો વિરોધી છું. મારું માનવું છે કે યુદ્ધ કોઈ પણ સમસ્યાનું સમાધાન લાવશે નહીં પરંતુ જો દેશ બે વિકલ્પો વચ્ચે ફસાય ગયો છે, તેમાં તમે ક્યાં આત્મસમર્પણ કરશો અથવા અંતિમ શ્વાસ સુધી લડશો, અને હું જાણું છું કે પાકિસ્તાન આઝાદીના અંતિમ શ્વાસ સુધી લડશે. અમે શાંતિથી નથી બેસી શકતા નથી, બની શકે છે કે તેમાં પાકિસ્તાન હારી જાય પરંતુ અમને જવાબ આપતા આવડે છે.

ભારતની સરકાર કાશ્મીરના લોકો પર અત્યાચાર કરી રહી છે
આ પહેલા શુક્રવારે કાશ્મીરના સમર્થનમાં આયોજીત 'જલસા' ને સંબોધન કરતા ઇમરાને કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સૈન્ય જે કરે છે તેની ભારે પ્રતિક્રિયા થશે, ભારત સરકાર કાશ્મીરની જનતા પર દમન કરી રહી છે. અને માત્ર કાશ્મીરના લોકો જ નહીં પરંતુ ભારતીય મુસ્લિમો પણ ભયમાં છે. ઇમરાન ખાને શુક્રવારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદમાં એક રેલીમાં આ વાત કહી હતી. પાકિસ્તાનના વડાપ્રધાને આ રેલીને જમ્મુ-કાશ્મીરની જનતા સાથે એકતા દર્શાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો.
આ પણ વાંચો: ઘુસણખોરી માટે PoKના લોકોનો ચારાની જેમ ઉપયોગ કરી રહ્યું છે પાકિસ્તાનઃ સેના
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
