આતંકવાદ સામે લડવા પાક. રચશે એનસીટીએ

pakistan terror
ઇસ્લામાબાદ, 29 નવેમ્બર: પાકિસ્તાન પણ ભારતની જેમ આતંકવાદ સામે લડવા રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી સત્તામંડળ (NCTA)ની રચના કરશે. આ અંગેના વિધેયકને પાકિસ્તાની મંત્રીમંડળે બુધવારે મંજૂરી આપી દીધી છે. જેની જાણકારી પાકિસ્તાની કેન્દ્રીય મંત્રી કમર જમાન કેરાએ આપી હતી. આ સત્તામંડળની રચના કરવાનો ઉદેશ્ય આતંકવાદને ખાળવાની રણનીતિ ગઢવાનો છે.

પ્રધાનમંત્રી રઝા પરવેઝ અશરફની અધ્યક્ષતામાં મળેલ મંત્રિમંડળની બેઠકમાં આ વિધેયકને મંજૂરી આપવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ 10 દિવસ પહેલા દેશમાં શિયાઓ પર થયેલા હુમલાની નિંદા કરી, જેમાં 50 જેટલા લોકોનું મોત થયું હતું.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં છેલ્લા બે વર્ષોમાં થયેલા આતંકવાદી હુમલામાં ઘણા લોકોના મોત થયા છે. એનસીટીએના સંગઠનની રચનાનું મુખ્ય કારણ પાકિસ્તાનમાં વધી રહેલા આતંકવાદને માનવામાં આવે છે. તાલિબાન જે ઝડપથી પાકિસ્તાનમાં દુષણ ફેલાવી રહ્યું છે તેની સામે પાકિસ્તાન નબળુ સાબિત થઇ રહ્યું છે. એનસીટીએની રચના બાદ આશા છે કે પાકિસ્તાનમાં આતંકવાદ પર કાબૂ મેળવી શકાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X