મારા સમયમાં જૈશની મદદથી પાકિસ્તાન ભારતમાં કરાવતું હતું બ્લાસ્ટઃ મુશર્રફ
જૈશની મદદથી આપણે ભારત પર હુમલા કરાવતાઃ પરવેઝ મુશર્રફ
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્પતિ જનરલ પરવેઝ મુશર્રફે એક સાક્ષાત્કારમાં સ્વીકાર્યું કે તેમના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાની સરકારના કહેવા પર જૈશ એ મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરે ભારતીય જમીન પર બોમ્બ બ્લાસ્ટ કરાવ્યા હતા. પાકિસ્તાન સ્થિત પત્રકાર નદીમ મલિકને આપેલા એક ઈન્ટર્વ્યૂમાં મુશર્રફે જૈશ એ મોહમ્મદ વિરુદ્ધ કરવામાં આવી રહેલ કાર્યવાહીનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે આ એ જ સંગઠન છે જેણે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પર હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો.

જૈશ એ મોહમ્મદે જ મારી હત્યાની કોશિશ કરી હતી
પરવેઝ મુશર્રફે કહ્યું કે આ એક સારી ચાલ છે. મેં હંમેશા કહ્યું કે જૈશ એ મોહમ્મદ એક આતંકી સંગઠન છે અને તેમણે મારી હત્યા કરવાની કોશિશમાં આત્મઘાતી હુમલો પણ કર્યો હતો. તેમની વિરુદ્ધ કાર્યવાહી થવી જઈએ. મને ખુશી છે કે સરકાર તેમની વિરુદ્ધ સખ્ત વલણ અપનાવી રહી છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2003માં ઝંડા ચીચીમાં જૈશ એ મોહમ્મદે પરવેઝ મુશર્રફના કાફલા પર ફિદાયીન હુમલો કર્યો હતો. જેમાં તેઓ માંડ માંડ બચ્યા હતા. આ ઘટનાને યાદ કરતા મુશર્રફે કહ્યું કે આ સૌભાગ્યની વાત છે કે તેઓ આ પ્રયાસમાં મૃત્યુ ન પામ્યા.

જૈશ વિરુદ્ધ કાર્યવાહી યોગ્ય પગલું
મુશર્રફે કહ્યું કે હુમલાવરે થોડી સેકન્ડ મોડું બટન દબાવ્યું અને ત્યાં સુધીમાં મેં પુલ પાર કરી લીધો હતો. મુશર્રફે કહ્યું કે જૈશ વિરુદ્ધ કાર્યવાહી એક યોગ્ય પગલું છે અને આ કાર્યવાહી પહેલા જ કરી લેવી જોઈતી હતી. જ્યારે ટીવી એન્કરે પરવેઝ મુશર્રફને પૂછ્યું કે જ્યારે તમે સત્તામાં હતા ત્યારે તમે તેમની વિરુદ્ધ કાર્યવાહી કેમ ન કરી એ સમયે તો તમે દેશમાં સૌથી પાવરફુલ હતા. તમારી સત્તામાં કમજોરી 2007 બાદ આપી?
|
અમે ભારતમાં બોમ્બ બ્લાસ્ટ કરાવી રહ્યા હતા
આ સવાલના જવાબમાં પરવેઝ મુશર્રફે કહ્યું કે મારી પાસે આ સવાલનો કોઈ જવાબ નથી. એ જમાનો હતો જ્યારે આમાં આપણા ઈન્ટેલિજેન્સ વાળા સામેલ હતા. ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે જૈસે કો તૈસા વાળું વલણ અપનાવવામાં આવી રહ્યું હતું. તેઓ પાકિ્સતાનમાં બોમ્બ બ્લાસ્ટ કરાવી રહ્યા હતા અને અમે ભારતમાં બોમ્બ બ્લાસ્ટ કરાવી રહ્યા હતા. તે જમાનામાં આ સિલસિલો ચાલતો રહેતો હતો. તે એ સિલસિલામાં તેમણે કોઈ કાર્યવાહી ન કરી તો મેં પણ તેમના પર કોઈ દબાણ ન નાખ્યું.
-
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે











Click it and Unblock the Notifications
