મુશર્રફે ભારત અને અફગાનિસ્તાનની વચ્ચે પ્રોક્સી વૉરની ચેતવણી આપી
કરાચી, 19 નવેમ્બર: પાકિસ્તાનની સત્તામાં પાછા ફરવા માટે તલપાપડ થઇ રહેલા અને અફગાનિસ્તાનમાં ભારતના વધતા પ્રભાવથી મુશર્રફ એ પ્રકારે નિરાશ છે, એ અંદાજો તેમના નવા નિવેદનથી લગાવી શકાય છે. મુશર્રફે ચેતવણી આપી છે કે જો અફગાનિસ્તાનથી નાટો ફોર્સેઝ રવાના થાય છે તો ફરી ભારત અને અફગાનિસ્તાની વચ્ચે એક પ્રકારે પ્રોક્સી વૉરની શરૂઆત થઇ જશે.
પાકિસ્તાનના પૂર્વ તાનાશાહ અને પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના લગભગ એક માસ પહેલા આવેલા નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં હજારો મુસલમાન કાશ્મીરમાં આવીને લડવા માટે તૈયાર બેસેલા છે. આ નિવેદન બાદ ભારતથી લઇને અમેરિકા સુધીમાં મુશર્રફની જોરદાર ટીકા થઇ હતી.
અત્રે નોંધનીય છે કે મુશર્રફ ભલે આ ચેતવણી આપી રહ્યા હોય પરંતુ તેમના જીવને ખુદ તાલિબાનથી પણ ખતરો છે. કરાચીમાં કડક સુરક્ષાની વચ્ચે રહેનારા મુશર્રફ પર ઘણા અપરાધિક મામલાઓ પણ ચાલી રહ્યા છે જેમાં હત્યાનો મામલો પણ સામેલ છે.
મુશર્રફે જણાવ્યું કે તાલિબાન વિરુદ્ધ 13 વર્ષની લડાઇ બાદ નાટો સેના આ વર્ષના અંત સુધી પરત ફરી જશે અને એવામાં અફગાનિસ્તાનમાં શાંતિ માટે પાકિસ્તાનના સહયોગને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
પરંતુ પૂર્વ સૈન્ય શાસકે જણાવ્યું કે છેલ્લા ઘણા વર્ષોમાં સરહદ પર થયેલી ખતરનાક ગોળીબારી બાદ ભારત-પાકિસ્તાનની વચ્ચે હાલ તણાવપૂર્ણ સ્થિતિને શાંત કરવા અફગાનિસ્તાનમાં શાંતિ માટે મહત્વપૂર્ણ છે.
કરાચી સ્થિત પોતાના રહેઠાણ પર મુશર્રફે જણાવ્યું 'અફહાનિસ્તાનમાં ભારતીય પ્રભાવ પાકિસ્તાન માટે ખતરો છે. તેમનું કહેવું છે, તેઓ સંપૂર્ણ વિસ્તાર અને પાકિસ્તાન માટે વધુ એક ખતરો છે કારણ કે ત્યાં ભારતીય પ્રભાવમાં પાકિસ્તાન-વિરોધી સંકેત મળે છે.'
ભારત પાકિસ્તાન-વિરોધી અફગાનિસ્તાન બનાવવા ઇચ્છે છે. મુશર્રફે જણાવ્યું 'જો ભારતીય અફગાનિસ્તાનમાં જાતીય તત્વોનો ઉપયોગ કરી રહ્યા છે, તો જાતીય તત્વોનો ઉપયોગ કરશે અને અમારા જાતીય તત્વો નિશ્ચિતપણે સક્ષમ છે.' તેમણે જણાવ્યું આ પ્રકારે અમે અફગાનિસ્તાનમાં છદ્મ યુદ્ધ છેડી રહ્યા છીએ. તેનાથી બચવું જોઇએ.