ઓસી.ની સંસદમાં રજૂ કરાયો 'શીખ રમખાણ'નો પ્રસ્તાવ

ઉત્તરી ક્વીસલેન્ડના સાંસદ વારેન એન્સ્ચે ગુરૂવારે આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે જ્યાં સુધી 1984ની ઘટનાઓને શીખ વિરોધી રમખાણ કહેવાશે ત્યાં સુધી શીખોને ન્યાય નહીં મળે. આને માનવસંહાર માનવો જોઇએ. આ પ્રસ્તાવ પર લગભગ સાડાચાર હજાર હસ્તાક્ષર કરેલા છે.
ઓસ્ટ્રેલિયાની સંસદમાં પહેલીવાર આ મામલો સામે આવ્યો છે. ત્યાના શીખ સમુદાયે એંસ્ચ પાસે આ મામલાને ત્યાની સંસદમાં રજૂ કરવા માટે મદદ માગી હતી. તેમણે રાજધાની કેનબરામાં રજૂ કરતા પહેલા એક જાહેર મંચ પર આ પ્રસ્તાવનું પઠન કર્યું હતું. જ્યાં મોટી સંખ્યામાં શીખ સમુદાયના લોકો ઉપસ્થીત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
