Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઓસી.ની સંસદમાં રજૂ કરાયો 'શીખ રમખાણ'નો પ્રસ્તાવ

australia parliament
મેલબોર્ન, 3 ઓક્ટોબર: ભારતમાં 1984માં થયેલા શીખ વિરોધી રમખાણને માનવસંહાર માનવા માટે ઓસ્ટ્રેલિયાની સંસદમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં ઓસ્ટ્રેલિયા સરકારને રમખાણના દોષિયો સામે કાર્યવાહી કરવા ભારત સરકારને અપીલ કરી છે.

ઉત્તરી ક્વીસલેન્ડના સાંસદ વારેન એન્સ્ચે ગુરૂવારે આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે જ્યાં સુધી 1984ની ઘટનાઓને શીખ વિરોધી રમખાણ કહેવાશે ત્યાં સુધી શીખોને ન્યાય નહીં મળે. આને માનવસંહાર માનવો જોઇએ. આ પ્રસ્તાવ પર લગભગ સાડાચાર હજાર હસ્તાક્ષર કરેલા છે.

ઓસ્ટ્રેલિયાની સંસદમાં પહેલીવાર આ મામલો સામે આવ્યો છે. ત્યાના શીખ સમુદાયે એંસ્ચ પાસે આ મામલાને ત્યાની સંસદમાં રજૂ કરવા માટે મદદ માગી હતી. તેમણે રાજધાની કેનબરામાં રજૂ કરતા પહેલા એક જાહેર મંચ પર આ પ્રસ્તાવનું પઠન કર્યું હતું. જ્યાં મોટી સંખ્યામાં શીખ સમુદાયના લોકો ઉપસ્થીત રહ્યા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X