પીએમ મોદીએ કહ્યું, આતંકવાદ માનવતા માટે મોટો ખતરો

પીએમ નરેન્દ્ર મોદી હાલમાં જાપાનના ઓસાકામાં જી 20 સમિટમાં ભાગ લઇ રહ્યા છે. શુક્રવારે, તેમણે આ પરિષદથી અલગ બ્રિક્સ દેશોની અનૌપચારિક બેઠકમાં ભાગ લીધો હતો

પીએમ નરેન્દ્ર મોદી હાલમાં જાપાનના ઓસાકામાં જી 20 સમિટમાં ભાગ લઇ રહ્યા છે. શુક્રવારે, તેમણે આ પરિષદથી અલગ બ્રિક્સ દેશોની અનૌપચારિક બેઠકમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન મોદીએ આતંકવાદને વિશ્વ અને માનવતા માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો હતો.

PM Modi

આંતકવાદ વિકાસને રોકે છે

બ્રિક્સ એટલે બ્રાઝીલ, રશિયા, ભારત, ચાઇના અને દક્ષિણ આફ્રિકાના આર્થિક સંસ્થા અને આ દેશોના રાષ્ટ્રીય અધ્યક્ષો ઘ્વારા જી 20 અલગ એક સંમેલનમાં હાજરી આપવામાં આવી. પીએમ મોદીએ આ સંમેલનમાં શામિલ દેશોને યાદ અપાવ્યું કે આતંકવાદ માનવતા માટે એક મોટો ખતરો બની ગયો છે જે નિર્દોષ લોકોનો જીવ લે છે તેની સાથે આર્થિક વિકાસ અને સામાજિક સ્થિરતા માટે પણ ખતરો છે.

પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદ અને જાતિવાદને ટેકો આપતા દરેક માધ્યમો પર લગામ લગાવવાની જરૂર છે. આ એક વિશિષ્ટ હકીકત છે કે આ પરિષદમાં ચીનના પ્રમુખ શી જિનપિંગ પણ હાજર હતા. બ્રિક્સ નેતાઓ સાથે વડાપ્રધાન પ્રાદેશિક બહુપક્ષીય અને આંતરરાષ્ટ્રીય સહકાર સંબંધિત મુદ્દાઓ પર બ્રિક્સ નેતાઓ સાથે ચર્ચા કરી હતી. તે જ સમયે, તેમણે વિશ્વની પડકારોને પહોંચી વળવા માટે પાંચ મહત્ત્વના મુદ્દાઓની પણ ચર્ચા કરી. વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે તેઓ બ્રાઝિલમાં યોજાયેલી બ્રિક્સ કોન્ફરન્સની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો: જાપાનમાં મળ્યા મોદી-ટ્રમ્પ, યુએસ રાષ્ટ્રપતિ બોલ્યા, 'આપણે સારા દોસ્ત, સાથે મળીને કામ કરીશુ'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X